જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગરની બે મેડિકલ એજન્સીઓમાં આજે મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા બે પાવડર અને શિરપના નમુના લેવામાં આવ્યાં હતાં.

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના અધિકારી દશરથ પરમાર, એન.પી. જાસોલીયા અને તેની ટીમ દ્વારા આજે શ્રીજી મેડિકલ સ્ટોર્સમાંથી મલ્ટી વિટામીન અને મલ્ટી મીનરલ શિરપ (ઝીકોવીન્ટ)નો નમુનો લેવામાં આવ્યો હતો અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત યુનિવર્સલ એજન્સી નામના સ્ટોર્સમાંથી ન્યુટ્રીશીયન પાવડર – પીડીયા શ્યોરનો નમુનો લેવામાં આવ્યો હતો અને તેને પણ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ પાવડર બાળકોના વિકાસમાં ઉપયોગી છે. આમ ફૂડ શાખાની ટીમ દ્વારા આજે બે મેડિકલ એજન્સીમાં નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.






અન્ય સમાચારો પણ છે…