Thursday, April 20, 2023

ચોટીલાના નારીયેળી ગામે બે જૂથ વચ્ચે અથડામણ, એક આધેડની તિક્ષણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવાઈ | Clash between two groups in Chotila's coconut village, a middle-aged man was killed by sharp-edged weapons. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નારીયેળી ગામે આધેડની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા‌ નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચોટીલાના નારીયેળી ગામે બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેમાં આજે ફરી અથડામણ સર્જાતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

ચોટીલાના નારીયેળી ગામે આધેડની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા‌ નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસની હાજરીમાં પોલીસ પ્રોટક્શન વખતે વચ્ચે હત્યા ફરી મામલો ગરમાયો હતો. જેમાં ઘાતકી હત્યાની ઘટના બાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

ચોટીલા પંથકમાં વારંવાર હત્યા અને લૂંટ જેવા બનાવો વધતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે. જેમાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારીઓ કારણભૂત હોવાથી બદલીની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: