Thursday, April 20, 2023

આંગણવાડી તેમજ વર્કશોપ ગેરેજ વિસ્તારમાં સફાઇ ઝુંબેશ; જાહેરમાં કચરો નાખનાર ઉપર થશે દંડનીય કાર્યવાહી | Cleanliness campaign in Anganwadi as well as workshop garage area; Punitive action will be taken against those who litter in public | Times Of Ahmedabad

પોરબંદર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર છાંયા નગરપાલીકાના શીતલાચોક વિસ્તારમાં આવેલ નગરપાલીકા વર્કશોપ ગેરેજ અને નાના બાળકો માટેની આંગણવાડી આસપાસ જાહેરમાં કચરો નાખવામાં આવતા ગદગીના ગંજ ખડકાયા હતા. ગંદકીના કારણે આંગણવાડીના બાળકોના આરોગ્ય ઉપર સીઘી અસર પડી રહી છે. તે બાબતે સામાજીક કાર્યકર ઇસ્માઇલ ખાન શેરવાની દ્વારા નગરપાલીકાના અધીકારીઓને આવેદનપત્ર આપી ધ્યાન દોરવામાં આવ્યું હતું.

જેને લઇ નગરપાલીકા તંત્ર દ્વારા ગણતરીની કલાકોમાં સફાઇ ઝુંબેશ યોજવા પોરબંદર છાંયા નગરપાલિકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા સુપરવાઇઝર અજય પુનાણી અને ભરત ઝાલા સહિત 15 જેટલા સફાઇ કર્મચારીઓની ટીમને મોકલી જેસીબી મશીન, ટ્રેક્ટર સહિતના વાહનો મોકલી વિસ્તારમાં સફાઇ ઝુંબેશમાં 3 જેટલા કચરાના ટ્રેક્ટર ભરાયા હતા. ત્યારબાદ ડીડીટી પાઉડર પણ છાંટવામાં આવેલું હતું.

સફાઇ કર્મચારીઓની કામગીરીને વિસ્તારના લોકોએ વધાવી
પોરબંદર છાંયા નગરપાલિકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા સુપરવાઇઝર અજય પુનાણી અને ભરત ઝાલા સહિત 15 જેટલા સફાઇ કર્મચારીઓની ટીમની કામગીરીને વધાવવામાં આવી હતી.

સ્વછતા જાગુતિ માટે અગ્રણીઓની અપીલ
પોરબંદર છાંયા નગરપાલિકાના કાઉન્સિલર ફારુક સુર્યા, સિપાઇ જમાતના પ્રમુખ ફૈઝલ ખાન પઠાણ, સામાજિક કાર્યકર ઇસ્માઇલ ખાન શેરવાની, અસ્લમ મનસુરી, મુસ્તાક કાબાવલીયા, યાકુબ મુલ્લા અને અબ્દુલ પઠાણ દ્વારા સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોકોને પોતાનો વિસ્તાર સ્વચ્છ રાખવા અને નગરપાલીકાની ડોર ટુ ડોર આવતી કચરાની ગાડીમાં કચરો નાખવો અને જાહેરમાં કચરો નાખવા ઉપર દંડનીય કાર્યવાહી થશે તે બાબતની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: