અમરેલી30 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના નવ નયુક્ત કલેક્ટર અજય દહીયા આજે રાજુલા પંથકના દરિયાઈ વિસ્તારની મુલાકાત પર આવ્યાં હતા. ત્યારે મીઠાના અગરોની તપાસ કરી પરત આવી રહ્યા હતા. ત્યારે એક અકસ્માત થતા 2 વ્યક્તિઓ લોહીયાણ હાલતમાં રસ્તા વચ્ચે પડ્યા હતા. આ ઘટના જોઈ જતા માનવતા દેખાડી પોતાનો વહીવટી તંત્રની કાફલો કલેક્ટરે ઉભો રખાવ્યો હતો.

ઇનોવા કારમાંથી નીચે ઉતરી ઇજાગ્રસ્ત લોકોની તપાસ કરી સાથે પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા, મામલતદાર સંદીપ સિંહ જાદવ સહિત વહીવટી વિભાગના અધિકારી કર્મચારીઓ પણ દોડ્યા હતા. 108ને જાણ કરી તાત્કાલિક પ્રાંત અધિકારીની ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં રવાના થયા હતા. આ વચ્ચે 108 ઇમરજન્સી આવતા રસ્તા વચ્ચેથી ફરી ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં ટ્રાન્ફર કરી તાકીદે 108માં સારવાર આપવા કલેકટર દ્વારા સૂચના આપી હતી.
અકસ્માતની ઘટનાઓ હાઇવે ઉપર બનતી હોય છે જ્યારે આજે અમરેલી જિલ્લાના કલેકટર અજય દહીયા સામાન્ય પરિવારના લોકો ઇજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર જોઈ કાફલો રોકાવી માનવતા બતાવી તાત્કાલિક ઝડપથી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી.