અમદાવાદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં નવા રોડ બનાવવા તેમજ રોડને રીગ્રેડ કરી રીસરફેસ કરવા માટે. 641 કરોડ રુપિયાના કામો કરવા માટે RKC ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત આજે મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. વર્ષ 2019માં આ જ કંપનીને શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડના 536 કરોડ રુપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ વર્ષમાં તેણે મોટાભાગના કામ પૂર્ણ કરી દીધા છે ફક્ત 30 કરોડના કામો બાકી હોવાથી કમિટીના ચેરમેને કર્યો છે તો બીજી તરફ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, ભાજપની ભ્રષ્ટાચારની નીતિના કારણે માત્ર બે થી ત્રણ જ કોન્ટ્રાક્ટરો આવે છે. પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.
26.90 ટકા વધુ ભાવે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયા
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, 641 કરોડ રુપિયાના રોડના કામો શહેરમાં કરવા માટે RKC ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે. આ કંપનીને અગાઉ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અને જેના મોટાભાગના કામ પૂર્ણ થઈ ગયા છે માત્ર 30 કરોડની આસપાસના કામો બાકી છે. જે કામ શરૂ પણ થઈ ગયા છે, જેથી ઝડપથી પૂર્ણ થઈ જશે. 26.90 ટકા વધુ ભાવે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
માનીતા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે – વિપક્ષ
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપક કરતા જણાવ્યું છે કે, બીટુમનના ભાવના તફાવતના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. વર્ષ 2019માં 34 ટકા વધુ ભાવ આપી અને 536 કરોડ રુપિયાના કામો આપવામાં આવ્યા હતા, જેને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાના હતા. જેના દસ માસ ઉપર વીતી ગયો છતાં હજી પણ કેટલાક કામો બાકી છે. રોડ એન્ડ પ્રોજેક્ટ ખાતામાં જે કામો કરવાના હોય છે. તેના માટે અમુક ચોક્કસ કોન્ટ્રાક્ટરો દ્વારા જ રીંગ બનાવી અને ટેન્ડર ભરવામાં આવે છે. અન્ય કોઈ કારણોસર પછી ડિસકવોલીફાઈ થઈ જાય છે. માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. આ રીતે ભાજપની ભ્રષ્ટાચારની નીતિના કારણે કોન્ટ્રાક્ટરો આવતા નથી. ભાજપ માત્ર પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપે છે. જેથી આ કામ બાબતે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી