બોટાદ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
બોટાદ શહેરમાં આવેલ એક માત્ર કુષ્ણસાગર તળાવમાં સૌની યોજના અતર્ગત પાણી છોડવાની માંગ કરતા શહેરીજનો .હાલ તળાવમાં થોડા દિવસો ચાલે તેટલું પાણી હોઈ જો તળાવમાં વધુ પાણી છોડવામાં આવેતો અહિયાં આજુબાજુના ખેડૂતો તેમજ શહેરના લોકોને પણ થય શકે છે ફાયદો .પશુ પક્ષીઓ અને માછલાઓ ને ઉનાળામાં મળી રહેશે પાણી.

બોટાદ શહેરનું એક માત્ર હાર્દ સમાં કુષ્ણસાગર તળાવ જેમાં આશરે એકાદ વર્ષ પહેલા સૌની યોજના અતર્ગત પાણી છોડવામાં આવેલ. તળાવમાં પાણી હોવાથી અહિયાં માછલાઓ તેમજ પશુ પક્ષીઓ અને પાણી પીવા માટે આવતા હોઈ છે તેમજ અહિયાં આજુબાજુના ખેતરો તેમજ ગામડાના લોકોને પણ આ તળાવ ના કારણે ફાયદો થઈ શકે છે. પરતું છેલ્લા ઘણા દિવસ થી તળાવમાં પાણી નો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે થોડા દિવસો ચાલે તેટલું પાણી હોઈ ત્યારે શહેરી જનોની માંગ છે કે આ તળાવમાં તંત્ર અને સરકાર દ્વારા ફરી પાછુ પાણી છોડવામાં આવે જેથી કરી અહિયાં આજુબાજુના ખેડૂતો ને સિચાઈ માટે પાણી મળી રહેશે.અને તેમના બોર સજીવન થઈ જશે તેમજ હાલ કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળા નો માહોલ હોય પાણીની ખુબજ જરૂરીયાત હોઈ એટલે અહિયાં દુર દુર થી પશુ પક્ષીઓ આવતા હોઈ છે તેમને પીવાનું પાણી મળી શકે.

બોટાદ શહેરના કૃષ્ણ સાગર તળાવમાં ગયા વર્ષે પણ સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું તે પહેલાં તળાવ ખાલી હોવાના કારણે હજારો માછલાઓના મોત થયા હતા . જેના પગલે જીવદયા પ્રેમીઓ દ્વારા સ્વખર્ચે ટેન્કર મારફતે અને ત્યારબાદ નગરપાલિકા દ્રારા પણ અહીંયા પાણીની લાઈન લાંબી કરી પાણી છોડયું હતું. જેને લઈ થોડું ઘણું પાણી આવતા માછલાં ઓને તે પાણી માં રાખી બચાવવાનો પ્રયત્ન કરેલ અને હજારો માછલાં ઓના જીવ બચી ગયા હતા. ત્યારે ગયા વર્ષ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે પહેલાં તંત્ર એ પાણી છોડવું જોઈએ.
