અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગઈકાલે શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ હોબાળો કર્યો હતો.સ્કૂલ દ્વારા ફરજિયાત સ્કૂલ બસમાં આવવા દબાણ કરીને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવી દીધું હતું.આ અંગે વાલીઓએ કાલે DEOને ફરિયાદ કરી હતી ત્યારે DEOએ જણાવ્યું કે બાળક કઈ રીતે સ્કૂલે આવે તે સ્કૂલ નક્કી ના કરી શકે.
શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની સામે હેરાન થયેલા વાલીઓએ ગઈકાલે DEOને ફરિયાદ કરી હતી.DEO એ આ અંગે તપાસ શરૂ કરી હતી.સ્કૂલ તરફથી જવાબદાર વ્યક્તિને નિવેદન માટે બોલાવ્યા હતા ત્યારે સમૂળે મૌખિક નિવેદન આપ્યું છે કે સ્કૂલ વાનમાં બાળકોની સેફટી નથજ.સ્કૂલવાનમાં PUC, ઇન્સ્યોરેન્સ અને કેપેસિટી કરતા વધુ બાળકો બેસાડવાના આવે કભે.સેફટીના કારણોથી બસની ફરજ પાડી હોવાનું સ્કૂલે તારણ આપ્યું છે.આ ઉપરાંત વાન ચાલકોએ વાલીને ઉશ્કેરાયા હોવાનો સ્કૂલે આક્ષેપ કર્યો છે.
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે વાલીઓએ રજુઆત કરું હતી બીજી તરફ સ્કૂલે નિવેદન આપ્યું છે.બંને પક્ષની રજૂઆતના આધારે તપાસ કરવાના આવી રહી છે.બાળકને સ્કૂલ કઈ બસમાં આવવું કે વાનમાં આવવું તેની ફરજ ના પાડી શકાય.વાલી ઈચ્છે તે રીતે બાળકને સ્કૂલે મોકલી શકે છે.સ્કૂલે ખોટું દબાણ કર્યું હશે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.