એક મિનિટ પહેલા
- કૉપી લિંક

ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ શહેરમાં પાણીજન્ય રોગોની સંખ્યામાં વધારો થયો છે ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસોમાં બે ગણા કેસો નોંધાયા છે. 23 એપ્રિલ સુધીના કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 266 કેસ, કમળાના 56 કેસ, ટાઈફોઈડના 193 કેસ અને કોલેરાના 0 કેસ નોંધ્યા છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના 10, અને ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે અને ઝેરી મેલેરિયાનો 01 કેસ તેમજ ચિકનગુનિયાના એકપણ કેસ નોંધાયા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે શહેરમાં પાણીજન્ય કહેશોમાં વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસો વધ્યા છે. ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી બરફ ગોળાની લારીઓ, પાણીપુરી લારીઓ સેમ્પલ લઇ અને બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવે છે જ્યારે જ્યાં પણ પ્રદૂષિત પાણીની ફરિયાદો મળે છે ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 2251 જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી 52 જેટલા પાણીના સેમ્પલ ફેલ આવ્યા છે. જ્યારે 49657 જેટલા લોહીના નમુનાઓની તપાસ કરવામાં આવી છે. જ્યારે 1690 જેટલા સીરમ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. 10056 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.