દાહોદ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
તારીખ 15મી એપ્રિલ 2023 ના રોજ સંતરામપુર થી ફતેપુરા થઈ બાસવાડા જતી એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરે ફતેપુરા થી બાસવાડા જતા મુસાફરોને આ બસ બાસવાડા જશે નહીં તેમ કહીને બસમાં બેસવા દીધા ન હતા.આ બાબતની ફરિયાદ થતા ચાલક અને કંડકટરને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.

દાહોદ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી મજૂરો મહાનગરોમા જાય છે
દાહોદ જિલ્લો તથા પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી શ્રમિકો ગુજરાતના નગરો મહાનગરોમાં રોજી રોટી માટે સ્થળાતંર કરે છે.જેથી ગુજરાત એસ ટી વિભાગ દ્રારા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ બસો દોડાવાય છે.દાહોદ થઈ પિટોલ,ઝાબુઆ સુધી મધ્યપ્રદેશમાં અને બાગીડોરા બાંસવાડા સુધી રાજસ્થાનમા બસોના રુટ નક્કી કરેલા છે.

આવી બસ સંતરામપુરથી વાયા બાંસવાડાથી મેંદરડા જાય છે
આવી જ એક બસ મહીસાગરના સંતરામપુરથી દાહોદ જિલ્લાના ફતેપુરા થઈ બાંસવાડા સુધી દોડાવાય છે.આ બસ બાંસવાડાથી સૌરાષ્ટ્રના મેંદરડા જાય છે.કારણ કે આ વિસ્તારમાંથી શ્રમિકો સ્થળાતંર કરે છે.જેથી ટ્રાફિક મળી રહે છે.
ચાલક અને કંડકટરે મુસાફરોને ગેરમાર્ગે દોર્યા
બીજી તરફ ગત તારીખ 15 એપ્રિલના રોજ આ બસ તેના નિયત સમયે ઉપડી હતી અને ફતેપુરા આવી પહોંચી હતી.ત્યારે ડ્રાઈવર અને કંડકટરે મુસાફરોને ગેરમાર્ગે દોરતા જણાવ્યુ હતુ કે આ બસ બાસવાડા જશે નહી.તેમ કહી બાંસવાડાના મુસાફરોને બસમા બેસાડ્યા ન હતા.
ફરિયાદના આધારે તપાસ કરવામા આવી
જેના પગલે મુસાફરોએ ફતેપુરા એસ ટી બસ સ્ટેશનના કંટ્રોલરને આ બાબતની જાણ કરી હતી. જેથી ફતેપુરા એસ ટી બસ સ્ટેશનના કંટ્રોલરે સંતરામપુર એસ ટી ડેપો મેનેજરને આ બાબતની જાણ કરી હતી. તેની ફરિયાદ સંતરામપુર ડેપોમા કરવામા આવતા તપાસ હાથ ધરવામા આવી હતી.
અડધો પગાર ડ્રાઇવર હાલોલ કંડકટર બારીઆ ડેપોમા હાજર રહેશે
તપાસ દરમિયાન તારીખ 15 મી એપ્રિલે ડ્રાઇવર અને કંડકટર ફતેપુરા થી બાસવાડા જવા નીકળ્યા હતા પરંતુ બાસવાડા ગયા જ ન હતા અને બાગીદોરા થી પરત ફતેપુરા આવી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સંતરામપુર એસટી ડેપો મેનેજરે પગલાં લઈને ડ્રાઇવર રમેશભાઈ કાળુભાઈ ખાટ અને કંડકટર પટેલ ખેમાભાઈ દેવાભાઈને સસ્પેન્ડ કર્યા છે .સસ્પેન્શન દરમિયાન આ બંનેનો અડધો પગાર ચાલુ રહેશે અને ડ્રાઇવરે હાલોલ એસટી ડેપો ખાતે અને કંડક્ટરે બારીયા એસટી ડેપો ખાતે સવારે 8:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી હાજરી આપવાની રહેશે તેવો હુકમ સંતરામપુર એસટી ડેપો મેનેજરે કર્યો છે.