Sunday, April 2, 2023

પુણા વિસ્તારની ખાડીમાં દુર્ગંધ અને મચ્છરના ત્રાસના કારણે આસપાસની સોસાયટીના રહીશો ને ભારે હાલાકી, જન આંદોલન કરવાની ચીમકી | Due to bad smell and mosquito infestation in the bay of Pune area, the residents of the surrounding society are suffering, there is a threat of public agitation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Due To Bad Smell And Mosquito Infestation In The Bay Of Pune Area, The Residents Of The Surrounding Society Are Suffering, There Is A Threat Of Public Agitation.

સુરત26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પુણા વિસ્તારની ખાડીનો પ્રશ્નનો ઉકેલ હતા ધારાસભ્યની જન આંદોલનની ચીમકી - Divya Bhaskar

પુણા વિસ્તારની ખાડીનો પ્રશ્નનો ઉકેલ હતા ધારાસભ્યની જન આંદોલનની ચીમકી

વરાછા રોડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને ચર્ચામાં આવતા હોય છે, તેઓ જે પ્રકારે પત્ર લખે છે તેને લઈને હંમેશા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યવાહી ઉપર પ્રશ્નો ઉભા થઈ જતા હોય છે. પુણા વિસ્તારની ખાડીનો પ્રશ્ન ઘણા વર્ષોથી યથાવત હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી.

ખાડીની કામગીરીનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ
ખાડીનો પ્રશ્ન દરેક ચૂંટણી વખતે ચર્ચામાં આવતો હોય છે. ખાડીની આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભયંકર મચ્છરોનો ત્રાસ તેમજ દુર્ગંધ ફેલાય છે, ફક્ત એટલું જ નહીં આસપાસના વિસ્તારમાં રહેતા હજારો લોકોને તેને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડી ઉભરાવવાના કારણે દૂષિત પાણી સોસાયટીઓમાં પ્રવેશે છે અને તેના કારણે રોગચાળો પણ ફેલાતો હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો.

ખાડીનો પ્રશ્ન માત્ર રાજકીય
કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ખાડીનો પ્રશ્ન વરાછા વિસ્તારમાં હંમેશા સૌથી વધારે ચર્ચામાં રહેતો હોય છે કારણ કે, આ ખાડીની આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રહે છે. ચૂંટણી સમયે પણ આ ખાડીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ પ્રકારની વાતો છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે પરંતુ, હજી સુધી તેનો કાયમી કોઈ ઉકેલ આવ્યો નથી. વિરોધ પક્ષ દ્વારા સમયાંતરે આ મુદ્દાને લઈને અલગ-અલગ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને લઈને અલગ-અલગ સોસાયટીઓની અંદર વિરોધ પ્રદર્શન પણ ભૂતકાળમાં કરવામાં આવ્યા છે.

‘ખાડીનો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જન આંદોલન કરવાની ફરજ પડશે’ : ધારાસભ્ય
વરાછા રોડ બેઠકનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ રીતે સંકલન બેઠકમાં વાત મૂકી હતી અને તેમણે અધિકારીઓનો ઉઘાડો લીધો હતો તેમણે કહ્યું હતું કે, ‘મારા વિસ્તારમાં ખાડીને લીધે મચ્છર અને ગંદકી ફેલાઈ રહી છે, દુર્ગંધ પણ ખૂબ જ આવે છે અને આ પ્રશ્નોનો ઉકેલ ત્વરિત લાવવો જરૂરી છે.’ આ બાબતે સંકલન બેઠકમાં તેમને અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે જ્યારે પણ ફોન કરવામાં આવ્યો છે ત્યારે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી માત્ર કામ ચાલુ છે એ પ્રકારનો જવાબ આપી દેવામાં આવે છે. જ્યારે પૂછવામાં આવે છે કે, કેટલું કામ થયું છે તો તે અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. જો આજ પ્રકારે અધિકારીઓ જવાબ આવશે તો આવનાર દિવસોમાં આ મુદ્દાને લઈને હું પોતે જન આંદોલન શરૂ કરીશ.

શાસક પક્ષના નેતાઓનું પણ સાંભળતા નથી અધિકારીઓ?
આશ્ચર્યજનક બાબત એ છે કે, જન આંદોલનની જ્યારે વાત થતી હોય છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ, અહીં તો સ્થિતિ એટલી વિપરીત છે કે, ભારતીય જનતા પાર્ટીના જ ભાજપના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય જન આંદોલન કરવાની ચીમકી આપવાની ફરજ પડી છે. તેના પરથી સાબિત થાય છે કે, સુરત કોર્પોરેશનના અધિકારીઓ તેમના કહ્યામાં રહેતા નથી. તેમણે જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કહ્યું હોય છે. તેની પણ સમયસર કામગીરી થતી નથી. જો એક ધારાસભ્યની આ પ્રકારની સ્થિતિ સુરત કોર્પોરેશન સમક્ષ હોય તો સામાન્ય વ્યક્તિઓ જ્યારે ફરિયાદ કરતા હશે ત્યારે તેમની ફરિયાદનો ઉકેલ આ અધિકારીઓ કેટલાક ઝડપથી કરતા હશે તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: