અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા શિવ શંકરનગરમાં ઘરમાં સૂઈ રહેલા પરિવાર પર તૂટી પડી હતી જેના કારણે પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. પરિવાર પર કાટમાળ પડતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પિતા-પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે, માતા અને નાના પુત્ર હાલ સારવાર હેઠળ છે. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો અને અચાનક જ તૂટી પડી હતી જેના કારણે પિતા પુત્રના મોત થયા છે. વાસણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સારવાર દરમિયાન પિતા-પુત્રનું મોત નીપજ્યુ
મળતી માહિતી મુજબ વાસણાના શિવ શંકરનગરમાં 42 વર્ષીય મુકેશ ચૌહાણ તેમની પત્ની અને બે બાળકો સાથે ભાડેથી રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બુધવારે રાત્રીના સમયે મુકેશ ચૌહાણ તેમની પત્ની અર્ચના, 11 વર્ષીય પુત્ર અભય ચૌહાણ અને 9 વર્ષનો દીકરો દેવ સાથે સુતા હતા. રાત્રીના બે વાગ્યાની સમયે છતનો કેટલોક કાટમાળ પંખા સાથે મુકેશભાઈ અને તેમના દીકરા અભય ચૌહાણ પર પડ્યો હતો. જેના કારણે ચારેય લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પત્નીએ 108ને ફોન કરીને પતિ અને બાળકને સારવાર માટે મોકલી આપ્યા હતા. જો કે, સારવાર દરમિયાન મુકેશ ચૌહાણ અને 11 વર્ષીય દીકરા અભય ચૌહાણનું મોત નીપજ્યુ હતુ.
પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણ વાસણા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શિવ શંકરનગરમાં આવેલું આ મકાન કેટલા વર્ષ જૂનું હતું અને રીપેરીંગ કરવાને પાત્ર હતું કે કેમ તે વગેરે અંગે માહિતી મળી નથી. પરિવાર ભાડેથી રહેતો હતો. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.