પંચમહાલ (ગોધરા)44 મિનિટ પહેલા
- કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અતિ ધમધમતા વિસ્તારમાં અજાણ્યા ઈસમ દ્વારા બિનવારસી હાલતમાં ભ્રૂણ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ગોધરા શહેર A ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતાં. પોલીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે.

પંચમહાલ જિલ્લાના અતિ વ્યસ્ત ગણાતા બસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યો ભ્રૂણ મળી આવતા ભારે ચકચાક મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોબ દોડી આવી હતી અને તપાસ શરુ કરી હતી. કોઈ અજાણ્યો ઈસમ આ ભ્રૂણ ફેકી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ઘરી છે.

મા તે મા બીજા બધા વગડાના વા, જનનીની જોડ સખી નહી જડે રે લોલ, સહિતની અનેક કહેવતો માતા પર બનાવવામાં આવી છે. પોતે ભૂખે સુઈને દીકરાના મોઢામાં કોળિયો મુકવાની વાતો નવી નથી. પરંતુ આજના સમયમાં કેટલાક નિષ્ઠુર લોકો કહેવતને નિરર્થક સાબિત કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવા લોકો જાણે કે, આ કહેવતોનો ખરો અર્થ સમજતા ન હોય તેમ માતૃત્વની હત્યા કરતા હોય તેવી ઘટનાઓને અંજામ આપે છે. કળિયુગની જનેતા પોતાનાં જ ભૃણને ત્યજી દેવામાં જરાય પણ વિચાર કરતા નથી.

તાજેતરમાં નવજાત શિશુ હોય કે પછી ભ્રૂણ હોય તેને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યા એક અજાણ્યો શખ્સ એક ભ્રૂણ એક બરણીમાં મુકીને જતા રહેતાં ચકચાર મચી જવા પામી હતી.