અમદાવાદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સુરેન્દ્રનગરમાં સગીરના એન્કાઉન્ટરનો મામલો
- હાઇકોર્ટે વધુ સુનાવણી 25 એપ્રિલે નક્કી કરી
સુરેન્દ્રનગરમાં 14 વર્ષીય સગીરના એન્કાઉન્ટર મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થતાં સરકારે આ કેસમાં પોસ્ટ મોટર્મ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ સહિતના દસ્તાવેજો હાઇકોર્ટમાં રજૂ કરવા સમય માગ્યો હતો. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, સરકાર પોલીસને બચાવી રહી છે. એક સગીરને મારવા માટે 20થી વધુ પોલીસના ટોળાંએ ગોળીબાર કર્યો હતો.
આ કેસમાં પોલીસ જ આરોપી છે તેથી કેસની તપાસ તટસ્થ એજન્સીને સોંપવા દાદ માગી છે. એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇની ખંડપીઠે સરકારને તમામ દસ્તાવેજો રજીસ્ટ્રીમાં રજૂ કરવા આદેશ કરી વધુ સુનાવણી આવતા મંગળવારે 25 એપ્રિલે મુકરર કરી છે. સુરેન્દ્રનગરના હનીફખાન એન્કાઉન્ટરમાં હનીફખાન અને તેના દીકરાનું એન્કાઉન્ટર કરી દીધું હતું. જેમાં પોલીસ સામે પગલાં લેવા રજૂઆત કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે…