Saturday, April 22, 2023

પંચમહાલમાં અખાત્રીજ અને પરશુરામ જયંતિની ધામધૂમપુર્વક ઉજવણી; બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન | A grand celebration of Akhatrija and Parashuram Jayanti at Panchmahal; Grand procession organized by Brahmo Samaj | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં અખાત્રીજ અને પરશુરામ જયંતિની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના લાલબાગ મંદિર ખાતેથી ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રાનું પ્રસ્થાન જય પરશુરામના જયધોષ સાથે કરાવવામાં આવ્યું હતું. જે દરમિયાન ભૂદેવો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. શોભાયાત્રા દરમિયાન શહેરમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.

ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં પરશુરામ જયંતિ અને અખાત્રીજ પર્વની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગોધરાના લાલબાગ મંદિર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારો અને ભાજપનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના રાજમાર્ગો પર વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જે શોભાયાત્રા શહેરના કલાલ દરવાજા, પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક સહિતના વિસ્તારમાંથી પસાર થઈ હતી. ગોધરા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત તૈનાત જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…