Tuesday, April 18, 2023

બાલાસિનોર તાલુકાના વિવિધ ગામોમાં પ્રેકટીકલ જીવામૃત, બિજામૃત, ઘનજીવામૃત, વાસ્પા જેવા આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું | Guidance was provided in various villages of Balasinore taluka on practical dimensions like Jivamrut, Bijamrut, Ghanjivamrut, Waspa. | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામા તારીખ 15 એપ્રિલ 2023થી તારીખ 29 એપ્રિલ 2023 સુધી પ્રાકૃતિક ખેતીના ઝુંબેશ માટેની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે તે અંતર્ગત તાલુકામાં પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં આજરોજ પ્રાકૃતિક ખેતીના બહોળા પ્રચાર-પ્રસાર માટે બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જનોડ, રળીયાતા, પિલોદરા, રામાનામુવાડા, સલિયાવાડી ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

બાલાસિનોર તાલુકાના નોડલ અધિકારી સાજીદ વ્હોરાના માર્ગદર્શન હેઠળ બાલાશિનોર તાલુકાના વિસ્તરણ અઘિકારી મુકેશ મકાની, સ્થાનિક ગ્રામ સેવક તેમજ આત્માના એ ટી એમ, ઝવેરભાઈ ખેડૂત અને પ્રાકૃતિક ખેતીના સંયોજક દ્વારા રૂબરૂ પ્રેકટીકલ જીવામૃત, બિજામૃત, ઘનજીવામૃત, વાસ્પા, જેવા આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. તેમજ આવનાર સમયમાં સ્થાનિક ખેડૂતો તરફથી પોતાના સ્વખર્ચે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત એવા વનરાજસિંહ ચૌહાણના ફાર્મની મુલાકાત અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રવાસ કરવા કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતી કરીશું અને કરાવશું તેવા અભિગમ સાથે ખેડૂત સમુદાય વતી આહવાન પણ કરવામાં આવ્યું હતું.

આ આગાઉ પણ તાલુકામાં વિવિધ સ્થળે કાર્યક્રમો યોજી ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. જેમાં બાલાસિનોર તાલુકામાં જેઠોલી ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુતરીયા, રયોલી, ધુંધલિયા ગામના ખેડૂતો અને જેઠોલી ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા. જેમાં તાલુકાના નોડલ અધિકારી સાજીદ વ્હોરાના માર્ગદર્શન હેઠળ બાલાશિનોર તાલુકાના વિસ્તરણ અઘિકારી મુકેશ મકાની, સ્થાનિક ગ્રામ સેવક તેમજ આત્માના એ ટી એમ, ઝવેરભાઈ ખેડૂત અને પ્રાકૃતિક ખેતી ના સંયોજક ઇન્દ્ર જીત સિંહ દ્વારા રૂબરૂ પ્રેકટીકલ જીવામૃત, બિજામૃત, ઘનજીવામૃત, વાસ્પા, જેવા આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આવનાર સમયમાં સ્થાનિક ખેડૂતો તરફથી પોતાના સ્વખર્ચે પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત વનરાજસિંહ ચૌહાણના ફાર્મની મુલાકાત અને અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રવાસ કરવા કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતી કરીશું અને કરાવશું તેવા અભિગમ સાથે ખેડૂત સમુદાય વતી આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂતો વધુમાં વધુ કરે અને વધુ ઉપજ મેળવે તે માટે સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: