Thursday, April 20, 2023

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાઈ; બંને કોમના અગ્રણીઓ હાજર રહ્યા | Held at Godhra City B Division Police Station in presence of Deputy Superintendent of Police; Leaders of both the coms were present | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આગામી તહેવારોને અનુલક્ષીને તમામ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આગામી 22 તારીખે હિન્દુ સમાજના આસ્થા સમાન અખાત્રીજ અને પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ મુસ્લિમ સંપ્રદાયનો રમઝાન માસ ચાલી રહ્યો છે. આગામી સમયમાં ઇદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે બંને સંપ્રદાયના તહેવારોનો સમન્વય થનાર છે. બંને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ અધિક્ષક કમર કસવામાં આવી રહી છે.

ત્યારે આજે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીઆર રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા બંને સમાજના અગ્રણીઓને શાંતિ જાળવીને તહેવારોની ઉજવણી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કોઈપણ કોમની લાગણી દુભાયા વિના તહેવારોની ઉજવણી થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષકે અગ્રણીઓને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: