રાજકોટ35 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટની ભાગોળે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં નિર્માણની કામગીરી ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન જૂલાઈના અંત અથવા તો ઓગસ્ટના પ્રારંભે થાય તેવી શક્યતા સેવાઈ રહી છે અને એરપોર્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે જ થાય તે માટે તેમનો સમય પણ માંગવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, હાલ હિરાસર એરપોર્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ખેડૂતનો પ્રશ્ન ઉકેલાયો છે અને અઢી મહિના બાદ એરપોર્ટ શરૂ થવાની શક્યતા દર્શાવી છે.
ખેડૂતને વળતર અંગે બાંહેધરી અપાઈ
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, એરપોર્ટમાં નડતરરૂપ 200 ચો.મી. ખાનગી ખેડૂતની માલિકીની જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. તે સંપાદન અંગેનો ખેડૂતનો પ્રશ્ન ઉકેલાઇ ગયો છે અને ખેડૂતને યથાયોગ્ય વળતર અંગે બાંહેધરી અપાઇ છે. આ પ્રશ્ન હલ થતા બાકી બાઉન્ડ્રી વોલ બનાવવાનું શરૂ કરાયું છે. તમામ સીવીલ વર્ક અને અન્ય કામગીરી પૂર્ણ થતાં હિરાસર એરપોર્ટ અઢી મહિના બાદ શરૂ થઇ શકે છે. હાલ ત્યાં પાણીનો કોઇ પ્રશ્ન નથી, પરંતુ એરપોર્ટ શરૂ થયાના 1 વર્ષ પછીની પાણીની જે જરૂરિયાત રહેશે તે અંગે કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે, આ બાબતે ફોરેસ્ટના હાઇ લેવલ અધિકારીઓ સાથે ચર્ચા પણ થઇ છે.
એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ 95% જેટલું પૂરુ અત્રે ઉલ્લેખનીય છે, એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ 95% જેટલું પૂર્ણ થયું છે. અને સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટન માટે અધિકારીઓ દ્વારા દિલ્લી ખાતે પ્રધાનમંત્રીનો સમય લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગામી જૂલાઈના અંત અથવા ઓગસ્ટના પ્રારંભ સમયે એરપોર્ટનું ઉદ્ઘાટન થાય તેવી પુરી શક્યતા છે. હાલ એરપોર્ટની કામગીરી અંતિમ તબક્કામાં છે અને કન્સ્ટ્રક્શન કામગીરી મોટાભાગની પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત 3040 બાય 45 મીટરનો રન-વે, એપ્રોન, ટેક્સી-વે, બોક્સ, 45 મીટરનો રન-વે, એપ્રોન, ટેક્સી-વે, બોક્સ કલવર્ટ, આઈસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી 100% પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત એજીએલ સબ સ્ટેશન, ગ્રેડિંગ, ઈન્ટર્નલ એપ્રોચ રોડનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.