- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- Weather In Mahisagar District Reverses For Second Consecutive Day; In The Afternoon, There Was Relief From The Heat As The Clouds Covered The Sky
મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ તથા વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જેને લઈને મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સતત બીજા દિવસે બપોર બાદ આકાશમાં વાદળો ઘેરાયા. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તારીખ 24 એપ્રિલ 2023થી તારીખ 28 એપ્રિલ 2023 સુધી કુલ 5 દિવસ કેટલાક ભાગોમાં સામન્યથી હળવો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શકયતા દર્શાવવામાં આવી છે. જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને કાળજી રાખવા જણાવાયું છે. તેમજ APMC તથા અનાજના ગોડાઉનમાં અનાજના જથ્થાને કોઈ નુકસાન ના થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તથા તકેદારીના તમામ પગલાં લેવા જણાવાયું છે.

બીજી તરફ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગરમીથી લોકોને થોડી રાહત મળી છે. છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો ઉચકાયો હતો. જેને લઈને ગરમીમાં લોકો આકળવિકળ થયા હતા, ત્યારે વાતાવરણમાં પલટાની સાથે આકાશમાં વાદળો ઘેરાયા છે જેથી ગરમીમાં થોડી રાહત મળી છે. જ્યારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેને લઈ રાત્રીના સમયે વાતાવરણમાં ઠંડક અનુભાઈ રહી છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો જિલ્લામાં પ્રથમ સપ્તાહ બાદ ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને અંદાજીત 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જેથી ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અને ખાસ કરીને બપોરના સમયે રોડ રસ્તાઓ પર અવર જવર પણ ઓછી ભાસી રહી હતી, પરંતુ સતત બદલાતા મોસમથી ફરી એક વાતાવરણમાં પલટો સર્જાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને પણ નુકસાન જવાની શક્યતાઓ રહેલી છે.

મહીસાગર જિલ્લામાં ગત માર્ચ માસ દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઇ ખેતીના પાકોને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એકવાર આકાશમાં વાદળો ઘેરાયા છે. બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમસોમી વરસાદ પણ વરસી રહ્યો છે. તેવામાં મહીસાગર જિલ્લાના વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે અને આકાશમાં વાદળો ઘેરાયા છે. રાજ્યમાં વાદળછાયું વાતવરણ અને વરસાદની શક્યતાને અનુલક્ષીને જિલ્લા APMC તેમજ ગોડાઉનમાં રાખેલા અનાજના જથ્થાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી તકેદારીના તમામ પગલાં લેવા માટે જણાવાયું છે. તેમજ ખેડૂતને કાળજી રાખવા માટે જણાવાયું છે.



