ફતેપુરાના મોટા નટવામાં 'તુ તારા બૈરાનો શક મારા પર કેમ રાખે છે' તેમ કહી માથામાં પથ્થરથી ઘા માર્યા | In Fatepura, he was hit on the head with a stone saying 'Why do you suspect me of your anger'? | Times Of Ahmedabad

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ખોટો શક વ્હેમ રાખવાના મુદ્દે ફતેપુરાના મોટા નટવા ગામે વેલ્ડીંગનું કામ કરાવવા લઈ ગયેલ 35 વર્ષીય ઈસમને એક જણાએ પકડી રાખ્યો હતો.બીજા ઈસમે પથ્થર વડે માથામાં આડેધડ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવતા ગંભીર ઈજાગ્રસ્ત ઈસમને સારવાર માટે મોડાસા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખેતરમાં કામ છે તેમ કહી લઈ ગયો
ફતેપુરાના સાગડાપાડા ગામના નવાધરા ફળિયામાં રહેતા 35 વર્ષીય રઘુભાઈ માવજીભાઈ મછારને મોટા નટવા ગામના અનીલભાઈ સોમાભાઈ બામણીયા વેલ્ડીંગનું કાંમ કરવા સારૂ તેના ઘરે લઈ ગયો હતો. વેલ્ડીંગનું કામ પુરૂ કરાવી ખેતરમાં કામ છે તેમ કહી ખેતરમાં લઈ જઈ તું તારા બૈરાનો મારા ઉપર કેમ ખોટો વ્હેમ રાખે છે તેમ કહી બેફામ બિભત્સ ગાળો બોલી તકરાર કરી હતી.

જીવલેણ હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યુ
તે વખતે સંતરામપુરાના ભુગેડી ગામના જયેશભાઈ બારીયાએ રઘુભાઈ માવજીભાઈ મછારને બંને હાથે પકડી રાખ્યો હતો અને અનિલભાઈ સોમાભાઈ બામણીયાએ પથ્થરથી માથામાં આડેધડ મારી જીવલેણ હુમલો કરી ડાબા કાનના ઉપરના ભાગે ફ્રેકચર કરી ઢીકાપાટુનો મારમારી ગંભીર ઈજાઓ કરી મારી નાંખવાની કોશીશ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત રઘુભાઈ માવજીભાઈ મછારને સારવાર માટે મોડાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે. જે હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી
આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત રઘુભાઈ માવજીભાઈ મછારની ફરિયાદને આધારે સુખસર પોલિસે મોટા નટવા ગામના અનીલભાઈ સોમાભાઈ બામણીયા તથા ભુગેડી ગામના જયેશભાઈ બારીયા વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post