Monday, April 24, 2023

વડોદરામાં મૈત્રી કરારથી સ્ત્રી મિત્રને ઘરમાં રાખવા પતિએ ધર્મની પત્નીને આપઘાત કરી લેવાની ધમકી આપી | In Vadodara, a husband threatened to kill Dharma's wife to keep a female friend in the house from a friendship agreement | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

મૈત્રી કરારથી સ્ત્રી મિત્રને ઘરમાં લાવ્યા બાદ સ્ત્રી મિત્ર સામેજ પત્ની સાથે અમાનવીય વર્તન કરતા પતિથી ત્રસ્ત થઇ ગયેલી પત્નીને અભયમ ટીમે પતિના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી. પતિએ પણ અભયમ ટીમ દ્વારા આપવામાં આવેલી કાનૂની ચિમકી સાથેની સલાહથી પત્નીને હેરાન ન કરવાની ખાતરી આપતા હાલ પુરતો મામલો થાડે પડ્યો છે.

આપઘાતની ધમકી
આ બનાવની વિગત એવી છે કે, વુડાના મકાનમાં રહેતાં એક બાળકના પિતા મનોજભાઇને (નામ બદલ્યું છે) અન્ય સ્ત્રી સાથે સબંધ હતા. જે અંગેની જાણ પત્ની કવિતાબહેનને (નામ બદલ્યું છે) થતાં બંને વચ્ચે ઝગડો થયો હતો. ઝઘડા દરમિયાન મનોજભાઇએ પત્ની કવિતાને જણાવ્યું કે, મારી સ્ત્રી વગર રહી શકું તેમ નથી. અને જો તું મને સ્ત્રી મિત્ર સાથે રહેવા નહિં દે તો મારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. અને હું આપઘાત કરી લઇશ. તેવી ધમકી આપી હતી.

પત્નીએ મંજૂરી આપી
પતિ મનોજે આપઘાત કરી લેવાની ધમકી આપતા કવિતા ગભરાઇ ગઇ હતી. કવિતાએ વિચાર્યું કે, જો પતિને તેની સ્ત્રી મિત્ર સાથે રહેવાની મંજૂરી આપે તો તેઓ આપઘાત કરી લેશેતો બાળક સાથે બાકીની જિંદગી પાર કરવી મુશ્કેલ થઇ જશે. આથી કવિતાએ પતિ મનોજને તેની સ્ત્રી મિત્ર સાથે મેત્રી કરાર કરવા સંમતિ આપી હતી.

પત્ની સાથે અમાનવીય વર્તન
પત્નીની મંજૂરી બાદ મનોજ તેની સ્ત્રી મિત્ર પાયલને (નામ બદલ્યું છે) પોતાના ઘરે લઇ આવ્યો હતો. અને એકજ છત નીચે મનોજ છેલ્લા ચાર વર્ષથી તેની ધર્મની પત્ની કવિતા અને સ્ત્રી મિત્ર પાયલ સાથે દિવસો પસાર કરી રહ્યો હતો. ચાર વર્ષના સમયગાળા દરમિયાન મનોજ થકી સ્ત્રી મિત્ર પાયલે એક બાળક પણ છે. સ્ત્રી મિત્ર પાયલને બાળક થયા બાદ મનોજ વધુ ધ્યાન કવિતા કરતા સ્ત્રી મિત્ર પાયલ પ્રત્યે આપતો હતો.

પત્ની મારઝૂડ કરતો હતો
અભયમમાંથી મળેલી માહિતી પ્રમાણે મનોજ ધર્મની પત્ની કવિતા સાથે સમાજના પ્રસંગોમાં પણ જતો ન હતો. અને સ્ત્રી મિત્ર પાયલને અવાર-નવાર બહાર ફરવા લઇ જતો હતો. આથી કવિતા, મનોજ અને પાયલ ત્રણે વચ્ચે ઝઘડાઓ થતા હતા. ઝઘડો થાય ત્યારે મનોજ ધર્મની પત્ની કવિતાનું સ્ત્રી મિત્ર પાયલ સામે અપમાનીત કરતો હતો. અને અમાનવીય વર્તન કરતો હતો. એતો ઠીક મનોજ ધર્મની પત્ની કવિતાને મારઝૂડ પણ કરતો હતો.

હેરાન ન કરવાની ખાતરી
પતિ મનોજે ત્રાસ આપવાની હદ વટાવી દેતા આખરે પત્ની કવિતાએ 181 હેલ્પ લાઇનની મદદ લીધી હતી. અને પોતાની આપવિતી જણાવી હતી. તુરતજ અભયમ ટીમ કવિતાના ઘરે પહોંચી ગઇ હતી. અને કવિતાના પતિ મનોજને કાયદાનું ભાન કરાવ્યું હતું. અભયમ ટીમ દ્વારા મનોજને કાયદાનું ભાન કરાવતા પતિ મનોજે પત્ની કવિતાને ત્રાસ ન આપવાની અને સારી રીતે રાખવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: