નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક

નવસારી જિલ્લાના અબ્રામા ખાતે રહેતી યુવતીનું ભેદી સંજોગોમાં મોત થયાને લઈને ઉહાપોહ થયો હતો. મૃતક યુવતીના પ્રેમીએ સુરત રેન્જ આઈ જી કચેરીમાં પોતાની પ્રેમિકાના નું ઓનર કિલિંગ થયું હોવાની શંકા સાથે તપાસ કરાવવા માટે અરજી આપી હતી જે મામલે તપાસનો રેલી નવસારી પોલીસ સુધી પહોંચતા કોર્ટના આદેશથી યુવતી મૃતદેહને કબર માંથી કાઢી સુરત ખાતે PM કરતા પ્રાથમિક તારણ મુજબ યુવતીનું મૌત લટકીને થયું હોવાનું તારણ બહાર આવ્યું હતું. યુવતીના મોત થયા બાદ તેના માતા પિતાએ પોલીસને જાણ ન કરતા તે મામલે હવે પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે. સાથે જ પોલીસ દ્વારા યુવતી ની સુસાઇડ નોટની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.
કોઈપણ વ્યક્તિ આત્મહત્યા કરે ત્યારે પરિવાર દ્વારા પોલીસને તેની જાણ કરવામાં આવે છે જેથી પોલીસ આત્મહત્યા મોતની નોંધ કરે છે અને જો જરૂર જણાય તો તે લાશનું પીએમ પણ કરાવવામાં આવે છે પરંતુ જલાલપોરના અબ્રામા ગામમાં ચાર દિવસ અગાઉ થયેલા યુવતીના આપઘાત કેસમાં પરિવારજન દ્વારા સ્થાનિક જલાલપુર પોલીસ ને જાણ કર્યા વગર યુવતીને દફનાવી દેવાય હતી જેથી તેના પ્રેમી બ્રિજેશ પટેલે ઓનર કિલિંગની શંકા સાથે રેન્જ આઇ.જી પિયુષ પટેલને અરજી આપી હતી જેથી આ મામલો હાઈ પ્રોફાઈલ બનતા નવસારી ખાતે મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કલથાણ ગામે આવેલા કબ્રસ્તાન માંથી યુવતીની લાશને બહાર કાઢી સુરત ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ પ્રાથમિક તારણ રૂપે આત્મહત્યા ની થીયરી તરફ આગળ વધ્યા છે.
ફોરેન્સિક ડોક્ટરોની ટીમ દ્વારા આત્મહત્યનું પ્રાથમિક તારણ ની માહિતી આપી હતી જેથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં યુવતીના આપઘાત કેસમાં પોલીસને જાણ ન કરવા માટે જવાબદાર પરિવાર જન સામે કાર્યવાહી કરશે.