દાહોદ7 કલાક પહેલા
- કૉપી લિંક

ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામની 27 વર્ષીય પરણીત યુવતી ક્યાંક ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.આ યુવતી કુદરતી હાજતે જવાનુ કહી નીકળી હતી.
પરિણીતાનો ચાર દિવસથી કોઈ પત્તો નથી
ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે મલકણા ફળિયામાં રહેતા 30 વર્ષીય વિજયભાઈ ભુરાભાઈ વસોનીયાની પત્ની 27 વર્ષીય ઉર્મિલાબેન વસોનીયા ગત તા. 15-4-2023ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી નીકળી હતા હતા. ત્યારબાદ આ મહિલા ક્યાંક ગુમ થઈ ગઈ હતી.
રાત સુધી ઘરે ન આવતા તલાશ હાથ ધરી
અંધારૂ થઈ ગયુ હોવા છતાં ઉર્મિલાબેન વસોનીયા પરત ઘરે ન આવતાં તેના પતિ વિજયભાઈ વસોનીયા તથા ઘરના અન્ય માણસોએ ઉર્મિલાબેનની શોધખોળ આદરી હતી. પરંતુ ઉર્મિલાબેનનો ક્યાંક પત્તો ન લાગતાં ઉર્મિલાબેેનના પતિ વિજયભાઈ વસુનિયાએ આ સંબંધે ઝાલોદ પોલીસને જાણ કરતા ઝાલોદ પોલીસે આ મામલે ગુમસુદા અંગેની જાણવા જાેગ લઈ આગળ તપાસ હાથધરી છે.
ઉર્મિલાબેન 10મા સુધી ભણેલા છે
ગુમસુદા ઉર્મિલાબેન વસોનીયાએ શરીરે પીળા કલરની સાડી પહેરેલી છે અને ડાબા હાથના કાંડા પર સ્ટોરો કોતરાયેલો છે. તે ધોરણ 10 સુધી ભણેલા છે. શરીરે મધ્યમ બાંધાની ઘઉંવર્ણી અને મોઢું લંબગોળ છે અને તે ગુજરાતી, હિન્દી ,આદિવાસી ભાષા જાણે છે.