કચ્છ (ભુજ )35 મિનિટ પહેલા
- કૉપી લિંક

પૂર્વ કચ્છના સામખીયાળી મોરબી ધોરીમાર્ગ વચ્ચે આવેલી અજંતા કંપની નજીક આજે બુધવાર સાંજે રિલાયન્સ કાઓનીના મોબાઈલના ટાવરમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગની જ્વાળાઓ ટાવર નજીક પાર્ક કરાયેલા બે ટ્રેક્ટરમાં ફેલાઈ જતા તેમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટના પાસેથી પસાર થતી પીજીવીસીએલની વિજ લાઈનના તાર તૂટી પડવાથી લાગી હોવાનું સ્થાનિકે કહ્યું હતું. અકબત આગની વધુ નુકશાન પહોંચાડે તે પહેલાં સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમ અને ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી.

ભચાઉ તાલુકાના સામખીયાળીથી મોરબી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી અજંતા કંપની પાસે આજે બપોરના 4.30ની આસપાસ રિલાયન્સ કંપનીના મોબાઈલ ટાવરમાં આગ ફેલાઈ ગઇ હતી. આ અંગે જાણવા મળેલી પ્રાથમિક માહિતી મુજબ ટાવર હાઉસથી અંદાજિત 60 મીટર દૂર જમીન પર ઉગેલા ઘાસમાં પીજીવીસીએલની હાઈ વોલ્ટેજ વિજ લાઈનના તાર તૂટી પડતા આગ ભભૂકી ઉઠી હતી જે ટાવર સુધી પહોંચી ગઈ હતી. આગ લાગવાથી ટાવર અંદર રહેલા ઇકવ્યુમેન્ટ લગાડવાની રેન્ક અને પાવર પ્લાન્ટ બડી ગયા હતા. બહુ મૂલ્ય સામગ્રી બડી જતા કંપનીને ભારે નુકશાન પહોંચ્યું હતું. જોકે કમનસીબે આ આગથી નજીકમાં રહેલા બે ટ્રેક્ટરો પણ ચપેટમાં આવી જતા નુકશાની પામ્યા હતા. ઘટનાની જાણ ટાવર કર્મીએ તંત્રને કરતા તુરંત સુરજબારી હાઇવે પેટ્રોલિંગ ની ટીમ આને ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી.
