- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- The Murder Of An Old Woman By Strangulation Near Kotharia Road In Rajkot, A Case Has Been Registered Based On The Complaint Of The Daughter, The Police Have Started Searching For The Accused.
રાજકોટએક મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટમાં હજુ કટકા થયેલી મહિલાની લાશ મળવાના બનાવનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક વૃદ્ધાની હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં કોઠારિયા રોડ નજીક ગળું દબાવીને વૃદ્ધાની હત્યા થયાનું સામે આવ્યું છે. આ મામલે મૃતકની પુત્રીની ફરિયાદનાં આધારે ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી અને સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અજાણ્યા શખ્સને પકડી પાડવા તપાસ શરૂ
જાણવા મળતી વિગત મુજબ, કોઠારિયા રોડ નજીકનાં મારૂતિનગર 6માં રહેતા સુનિતાબેન ઈશ્વરભાઈ છછરિયા નામના વૃદ્ધાની હત્યા થયાની એક ઘટના સામે આવી છે. મૃતકનાં રૈયાધારમાં રહેતા પુત્રી મહેશ્વરીબેન વાસુભાઈ ખુવાએ ભક્તિનગર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સે કોઈ કારણોસર તેમની માતાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી હત્યાને અંજામ આપનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ગળાના ભાગે છરકાનાં નિશાન
મૃતકના પુત્રી મહેશ્વરીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના ફઈનાં દીકરા મનોજભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે મારા મમ્મી સુનિતાબેન બેભાન થઈ ગયા હોવાથી તેઓ મારા પિતા સાથે 108માં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જતા હોવાનું જણાવ્યું હતું. આ કારણે પોતે તુરંત જ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગળું દબાવવાથી તેમનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. સાથે જ ડાબી આંખ અને મોઢા પર તેમજ ગળાના ભાગે છરકાનાં નિશાન હોવાનું કહ્યું હતું. જો કે, માતાની કોઈ સાથે દુષ્મનાવટ નહીં હોવાને કારણે આ હત્યા કોણે કરી તે અંગે પોતે સંપૂર્ણપણે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમજ આ માટે કોઈ પણ વ્યક્તિ પર શંકા પણ નહીં હોવાનું કહેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.