Wednesday, April 19, 2023

નસવાડીના હરખોડ ગામે કુહાડીના ઘા ઝીંકી પતિ ફરાર; હત્યા કરવાનું કારણ અકબંધ; પોલીસે શોધખોળ હાથ ધરી | Naswadi's Harkhod village escaped with an ax wound; The reason for the killing remains intact; The police conducted a search | Times Of Ahmedabad

છોટા ઉદેપુર28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મૃતક ભૂરીબેનની ફાઈલ તસવીર

નસવાડીના હરખોડ ગામે ગત રાત્રિએ એક પતિએ પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો આ હત્યાની જાણ નસવાડી પોલીસને થતા યુવતીની લાશ કબજે કરી હત્યારા પતિની શોધખોળ હાથ ધરી હતી.

છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ એવા નસવાડી તાલુકાના હરખોડ ગામે રહેતો દિનેશ ડુંગરભીલ રાત્રી દરમિયાન પોતાની પત્ની ભૂરીબેન દિનેશ ડુંગરભીલને કુહાડીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો હતો.

આ હત્યાની જાણ મૃતક ભૂરીબેન ભીલના પૌત્રને થતા આજે સવારે તેઓ હરખોડ મુકામે જઈને પોતાની દીકરીને મૃત હાલતમાં જોતા નસવાડી પોલીસને જણ કરી હતી. નસવાડી પોલીસ આજે બપોરે હરખોડ મુકામે પહોંચીને લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે નસવાડી લઈ જવાઈ હતી. પોલીસે હત્યારા પતિ દિનેશ ડુંગરભીલની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…