Saturday, April 22, 2023

માણેકલાલ રોડ પરની એપાર્ટમેન્ટના ટેરેસ પરથી વૃદ્ધાએ ઝંપલાવ્યું, લાંબા સમયથી બીમારીથી કંટાળી પડતું મૂક્યાંનું અનુમાન | An old man jumped from the terrace of an apartment on Maneklal Road, presumed to have succumbed to a long illness. | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારીના માણેકલાલ રોડ ખાતે એક આધેડ વયની મહિલાએ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પડતું મુક્ત મોતને ભેટ્યા હતા.ગત મોડી સાંજે પતિને ધાબા પર લઈ જવાનું કહીને પડતું મૂક્યું હતું.

64 વર્ષીય ભારતીબેન નીતિનભાઈ શાહ માણેકલાલ રોડ પાસે આવેલી સેન્ચ્યુરી ટાવર ના 302 મકાનમાં રહે છે.ભરતી બેન છેલ્લા લાંબા સમયથી પેરેલીસીસ ની બીમારીથી પીડાતા હતા જેને કારણે તેઓ જીવનથી કંટાળી ગયા હતા અને ગઈકાલે મોડી સાંજે પોતાના પતિને નીતિનભાઈ ને ધાબા પર હવાફેર માટે જવા માટે કહ્યું હતું જેથી પતિએ તેમને ધાબા પર લઈ ગયા બાદ તેઓ દસમા માળે થી બાલ્કની માંથી અચાનક નીચે પટકાયા હતા.

મહિલા 10 માં માળેથી નીચે પટકાયાનો અવાજ સાંભળી એપાર્ટમેન્ટના સૌ કોઈ ચોકી દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને બોલાવી સિવિલ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. સમગ્ર મામલે ટાઉન પોલીસને જાણ થતા મૃતદેહ નો કબજો લઇ પોસ્ટમોર્ટમ કર્યું હતું. ત્યારબાદ અકસ્માત મોતની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: