Saturday, April 8, 2023

રાજકોટમાં રસ્તે ચાલીને જતા વૃદ્ધ પર અચાનક શ્વાન તૂટી પડ્યું, પગમાં દાંત ભીસી કરડી ખાધા | An old man walking on the road in Rajkot was suddenly attacked by a dog, biting his leg | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાં ગુરુવારે સાંજે રસ્તે ચાલીને જતા વૃદ્ધ પર અચાનક શ્વાન તૂટી પડ્યું હતું. જે ઘટનાના CCTV હાલ સામે આવ્યા છે. જ્યાં શ્વાને અચાનક હુમલો કરતા વૃદ્ધ રસ્તા પર ફસડાઈ પડ્યા હતા અને શ્વાને વૃદ્ધના પગમાં દાંત ભીસી કરડી ખાધા હતા. જો કે વૃદ્ધે પ્રતિકાર કરતા શ્વાન ત્યાંથી નાસી ગયું હતું પરંતુ પગને બેરહેમી પૂર્વક કરડતા તેઓ લોહીલુહાણ થયા હતા.

મનપા ખસીકરણ માટે 59 લાખ ખર્ચે છે
રાજકોટનો એક પણ રસ્તો અત્યારે એવો નહીં હોય કે જ્યાંથી લોકો પસાર થાય એટલે ‘ડાઘીયો’ શ્વાન તેનું ‘સ્વાગત’ કરવા માટે ઉભો ન હોય ! શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો વસતી વિસ્ફોટ થઈ રહ્યો હોવાને કારણે મહાપાલિકા દ્વારા ખસીકરણ માટે વર્ષે કરવામાં આવતો 59 લાખ ખર્ચે છે છતાં ગુરુવારે ભક્તિનગર સર્કલ પાસે રખડતા શ્વાને શરાફી મંડળીમાં પૈસા ભરવા જતા પ્રૌઢના પગને બેરહેમી પૂર્વક કરડી તેમને લોહીલુહાણ કર્યા હતા. અત્યારે શ્વાનોની રંજાડ કેવી છે તેનો અંદાજ આ ઘટના પરથી જ આવી જાય છે. દર વર્ષે ખસીકરણનો ખર્ચ વધતો હોવા છતાં પણ રખડતા શ્વાનની સંખ્યા ઘટવાને બદલે સતત વધતી જાય છે.

ડાઘીયા શ્વાને બચકું ભરતા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી

ડાઘીયા શ્વાને બચકું ભરતા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી

108ને જાણ કરી હતી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 58 વર્ષીય ઠાકરશીભાઈ લિંબસિયા શરાફી મંડળીએ પૈસા ભરવા માટે શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા પિતા મંદિર નજીકથી પસાર થતા હતા. એ સમયે રખડતા શ્વાને ઠાકરશીભાઈને બચકા ભર્યા હતા. ડાઘીયા શ્વાને બચકું ભરતા ઠાકરશીભાઈને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જેના કારણે સારવાર અર્થે સ્થાનિક લોકો દ્વારા 108ને ફોન કરવામાં આવતા 108 ના માધ્યમથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ચાર ઇન્જેક્શન આપવામાં આવ્યા
ઈજાગ્રસ્ત ઠાકરશીભાઈને પગના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા છે તેમજ ચાર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજરોજ સવારના ભાગે તેઓ શરાફી મંડળી ખાતે પૈસા ભરવા જઈ રહ્યા હતા. ત્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલી ગીતામંદિર પાસે પહોંચતા શ્વાન દ્વારા તેમને પગના ભાગે બચકા ભરવામાં આવ્યા હતા. જેના કારણે તેમને પગના ભાગે લોહી પણ નીકળ્યું હતું.

સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

‘ડોગબાઈટ’ના કેસમાં સતત વધારો
એક તરફ મહાપાલિકા દ્વારા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે એજન્સીને વર્ષે લાખો રૂપિયા જેવી માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપે છે પરંતુ આટલી રકમનો ખર્ચ છતાં તેની કોઈ જ અસર જોવા મળતી ન હોય તેવી રીતે શ્વાનની વસતી તો વધી જ રહી છે સાથે સાથે ‘ડોગબાઈટ’ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

ટોળાં સ્વરૂપે શ્વાનો અડ્ડો
બીજી તરફ તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું ‘નાટક’ તો સદંતર બંધ જ કરી દેવામાં આવ્યું હોવાને કારણે ‘ડાઘીયા’ઓ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે અને હવે તો શહેરના અનેક રસ્તાઓ ઉપર ટોળાં સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતાં લોકોને સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવવા લાગી છે.

વર્ષ અને ખસીકરણ મામલે કરવામાં આવેલ ખર્ચ

  • 2016 – 17 માં 76.44 લાખ
  • 2017 – 18 માં 57.15 લાખ
  • 2018 – 19 માં 72.98 લાખ
  • 2019 – 20 માં 103.76 લાખ
  • 2020 – 21 માં 82.8 લાખ
  • 30-11-2022 સુધીમાં 59.7 લાખ
પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2022ના નવ માસમાં ડોગ બાઈટના કેસ

  • એપ્રિલ મહિનામાં 1387 કેસ
  • મે મહિનામાં 1345 કેસ
  • જૂન મહિનામાં 677 કેસ
  • જુલાઈ મહિનામાં 500 કેસ
  • ઓગસ્ટ મહિનામાં 547 કેસ
  • સપ્ટેમ્બર મહિનામાં 586 કેસ
  • ઓક્ટોબર મહિનામાં 502 કેસ
  • નવેમ્બર મહિનામાં 592 કેસ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: