નવસારી3 કલાક પહેલા
- કૉપી લિંક

નવસારી શહેરમાં એક જ દિવસમાં એક આત્મહત્યા સાથે 2 યુવાન 1 યુવતીના ગુમ થવાની ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે. જેમાં જલાલપુર વિસ્તારમાં રહેતા અને રત્નકલાકારનું કામ કરતા હિમાંશુ પરમાર નામના યુવાને અગમ્ય કારણોસર ઘરમાં પતરાની નીચે લાકડા સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે પરિવારે પણ આત્મહત્યાને લઈને કોઈ કારણ પોલીસને જણાવ્યું નથી. યુવાન મૂળ યુપીનો રહેવાસી છે અને પરિવારમાં એક નાની દીકરી અને પત્ની છે.

ગુમ થવાના બનાવની વાત કરીએ તો ગણદેવી તાલુકાના છાપર દેસાઈ ફળિયામાં રહેતા ભૌતિક પટેલ નામના 28 વર્ષીય યુવાન 7મી એપ્રિલના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ત્યાં જતા રહ્યા છે જેની ફરિયાદ તેમની માતા દ્વારા ગણદેવી પોલીસ સ્ટેશન માં કરવામાં આવી છે.
એરુ ગામના નાના ફળિયા અને કુંભારવાડ માંથી 19 વર્ષનો યુવાન અને યુવતી ગુમ થવાની પણ ફરિયાદ નોંધાય છે જેમાં 19 વર્ષીય વિશાલ હેમંતભાઈ પટેલ કે જે ઘરેથી સવારના આઠ ગામ રાણી ફળિયા ખાતે આવેલા ITI માં ઇલેક્ટ્રિશિયન નો અભ્યાસ કરવા માટે નિત્યક્રમ પ્રમાણે સાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નથી જેને લઈને તેની અનેક શોધખોળ કરવા છતાં પણ તે પરત ન આવતા તેના મામા પિયુષ ઠાકોરભાઈ પટેલ દ્વારા જલાલપુર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાય છે, બીજી તરફ એરૂ ગામમાં આવેલા કુંભારવાડ ફળિયામાં પણ આસ્થા કૌશિકભાઈ રાઠોડ નામની 19 વર્ષીય યુવતી કોઈને પણ કહ્યા વગર ઘરેથી જતી રહી હોવા અંગે પિતા દ્વારા જલાલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ આપી છે જેમાં પોલીસે બંને પ્રેમ પ્રકરણમાં ભાગ્યા હોવાની સંભાવના સાથે બંનેના મોબાઈલ લોકેશન ના આધારે તપાસ શરૂ કરી છે.