Sunday, April 23, 2023

પાટીલે કહ્યું- 'જે વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પાંજરામાં પૂરાયો છે અને કરોડો રૂપિયા ઉસેટી લીધા છે' | 'The person who was talking about exposing the scam himself is in a cage and has stolen crores of rupees' | Times Of Ahmedabad

ભાવનગરઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

ભાવનગરના 301માં સ્થાપના દિવસ નિમિતે ભાવનગર આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ડમીકાંડ અને યુવરાજસિંહને લઈ મોટું નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે યુવરાજસિંહનું નામ લીધા વિના કહ્યું હતું કે, આખા દેશે જોયું છે કે, જે વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પોતે આજે પાંજરામાં પૂરાયો છે અને કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. આ મામલામાં યુવરાજસિંહ દ્વારા લેવામાં આવેલા રાજનેતાઓના નામને લઈ પણ પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતમાં નિવેદન કરતા કહેવામાં આવ્યું હતું કે, ડમીકાંડ મામલે જે સાચી માહિતી મળી એ બાબતે કામગીરી કરવામાં આવી છે અને હજી પણ કરવામાં આવશે. પરંતુ, એનો મતલબ એ નથી કે, સાચી માહિતી આપવાની સાથે અન્ય ગુનેગારો સાથે સેટલમેન્ટ કરી લેવામાં આવે.

‘જે કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો એ જ આજે આરોપીના પાંજરામાં’
પાટીલે કહ્યું હતું કે, સ્વભાવિક રીતે પેપરલીક અને ડમી ઉમેદવારની માહિતી પોલીસ અને પત્રકારોને મળતી હોય છે. તેના બદલે આખા રાજ્યમાં કોઈ ડમી તરીકે પરીક્ષા આપવા જાય, પેપર લીક થાય ત્યારે સૌથી પહેલી બાતમી એ વ્યકિતને મળતી હતી. ત્યારે પોલીસ પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય તે ગુનેગાર પાસેથી જ આવતા હોય છે. ત્યારે આરોપીના સ્ત્રોત પણ કોઈને કોઈ ગુના સાથે જોડાયેલા હતા. નિર્દોષ લોકોને દબાવ્યા હોવાના અને કેટલાક દોષી લોકોને બચાવવાનું પ્રોમિસ કરી મોટી રકમ રોકડમાં લીધા હોવાના પુરાવા પોલીસે કબજે કર્યા છે. આ તપાસમાં હજુ પણ એમની સાથે જોડાયેલા ઘણા બધા લોકોને પોલીસ શોધી કાઢશે અને એમને યોગ્ય સજા આપશે.

ગૌતમ પરમાર, રેન્જ આઈજી, ભાવનગર

ગૌતમ પરમાર, રેન્જ આઈજી, ભાવનગર

યુવરાજસિંહ દ્વારા નેતાઓના નામ લેવા મામલે પાટીલે કહ્યું…
એમને નામ લીધા એ એમનો અધિકાર છે. પરંતુ, નામ લેવાની સાથે પુરાવા આપવાની પણ એમની ફરજ છે. પોતાના બચાવ માટે કોઈપણ વ્યકિતનું નામ લઈને બચવાનો પ્રયાસ કરવો એ યોગ્ય નથી. એમને જ પણ નામ આપ્યા છે તેની પોલીસ તપાસ કરશે. પોલીસે જાહેર પણ કર્યું છે કે, જે નામ એમને જાહેરમાં આપ્યા છે એવું એકપણ નામ એમણે પોલીસને આપેલા નિવેદનમાં આપ્યું નથી. લોકોને ગેરમાર્ગ દોરવાનો પ્રયત્ન આમાં સફળ નથી થવાનો. નોંધનીય છે કે, યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી તે પહેલા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણી, આસિત વોરા સહિતના રાજકીય વ્યકિતઓના નામ લીધા હતા. આ ઉપરાંત તેઓની પાસે વધુ 30 નામ પણ હોવાની વાત કરી હતી.

હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી

હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી

યુવરાજસિંહ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સાચી માહિતી આપવી એનો મતલબ એ નથી કે બીજી માહિતી સેટલમેન્ટ થકી રોકવામાં આવે. સાચી માહિતી આપવી આવકાર્ય છે પણ કાયદાનું પાલન કરવું જોઈએ. સાચી માહિતી હતી જે લોકો પકડાયા છે તેમાં હું એમની માહિતીને આવકારું છું. પણ માહિતી આપવાનો મતલબ એ નથી કે, તમે કોઈ વ્યકિતના ખોળે બેસીને કોઈપણ પ્રક્રિયા કરીને તમે મનચાહેલી વસ્તુ નક્કી કરી લો. જે ગુનેગાર છે તેના નામ છુપાવવા એ પણ એટલું જ મોટું પાપ છે. જે ગુનેગારના નામ છુપાવવા પાછળ શું થયું છે? તે પણ જાણવું એટલું જ જરુરી છે. ડમીકાંડમાં જોડાયેલા તમામ લોકો સામે કડકમાં કડક પગલાં ભરીશું. અંતમાં કહ્યું હતું કે, આ વિષય રાજકારણ સાથે જોડાયેલો નથી.

યુવરાજસિંહ જાડેજા

યુવરાજસિંહ જાડેજા

યુવરાજસિંહ જાડેજા હાલ રિમાન્ડ પર
ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે યુવરાજસિંહને 14 દિવસના રિમાન્ડ માગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: