પોરબંદર20 મિનિટ પહેલા
- કૉપી લિંક

પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિનું એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. જે અંતર્ગત પોરબંદર ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શેફાલી બરવાલના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ઋતુ રાબા દ્વારા પોરબંદર જિલ્લાના સિનિયર સિટિઝનને સાયબર ક્રાઈમ અને તેના નિવારણ અંગે માહિતગાર કરવામાં આવેલ હતા. સાથે જ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી-ટીમના પોલીસ અધિકારી/કર્મચારીઓને કચેરી ખાતે રૂબરૂ હાજર રખાવી આ અંગે માહિતગાર કરવામા આવેલ હતા.

જે અનુસંધાને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીરસરા ગામે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે રહેતા સિનિયર સિટિઝનની રૂબરૂ મુલાકાત કરીને તેઓને સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી હતી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ઋતુ રાબા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. જાડેજા તથા સી-ટીમના કર્મચારીઓ પો.કોન્સ. નુતન વૃજલાલ, હીરા નાગા, ભારતી લખમણ દ્વારા વૃધ્ધોને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 તેમજ સાયબર ક્રાઈમ અને તેના નિવારણ અંગે માહિતગાર કરવામાં આવેલ.

પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી-ટીમના પોલીસ અધિકરી/કર્મચારીઓ દ્વારા ઇ-ગુઝકોપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલ તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત કરવામા આવેલ. તેઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા તેઓની સુરક્ષા તથા અન્ય મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવેલ અને તે બાબતે સાયબર ક્રાઇમ જાગૃતિ માર્ગદર્શિકા પોરબંદર જિલ્લાના પોલીસ દ્વારા જનહિતાર્થે પ્રસિધ્ધ કરવામાં આવેલ અને તે મુજબનું માર્ગદર્શન આપવામાં આવેલ છે.
