ગોધરાએક કલાક પહેલાલેખક: પ્રતિક સોની
- કૉપી લિંક

કલેકટર આશિષકુમાર
- ગોધરા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂ ભાસ્કરમાં
- પાવાગઢમાં મોબાઇલ નેટવર્કનો નિકાલ લવાશે
પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર અાશિષકુમારે પદભાર સંભાળ્વા બાદ દિવ્યભાસ્કર દ્વારા જિલ્લાના મહત્વની સમસ્યાઅો અને અરજદારોને પકડતી મુશ્કેલીઅોના નિરાકરણ અંગેના સવાલો પુછતા કલેકટરે જિલ્લાની સમસ્યાના નિરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં અાવશે તેમ જણાવ્યું હતું. કલેકટરે ગોધરામાં અાવેલી કચેરીઅોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
કલેકટર પ્રથમ કાર્ય અે કર્યુ કે ગ્રામકક્ષાના અરજદારને ઉપરી કચેરી સુધી રજુઅાત કરવા ના અાવવું પડે તેના માટે અધીકારીઅો સાથે મીટીંગ કરીને સુચનાઅો અાપી છે. જયારે ગોધરાના રેલ્વે અંડર પાસ, જિલ્લામાં પાણી સમસ્યાઓ, વાસ્મોની નળ સે જલ યોજનાઅોની ચકાસણી સહીત અનેક પ્રશ્નનોના નિરાકરણ માટે કલેકટરે તત્પરતા બતાવી હતી.
પ્રશ્ન: પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે અાવ્યા બાદ પહેલુ કાર્ય શું કર્યુ ? જવાબ ઃ જિલ્લામાં સ્થાનિક કક્ષાની રજુઅાતનુ નિરાકરણ સ્થાનિક કચેરીમાં જ લાવવા તમામ વિભાગના અધીકારીઅો સાથે મીટીંગ કરીને અરજદારની રજુઅાતનો નિકાલ લાવવામાં અાવે તેના માટે અધીકારીઅોને સુચનાઅો અાપી છે. જેથી ઉપરી કચેરી સુધી અરજદારોની રજુઅાત અાવતી અોછી થઇ જશે.જેથી લોકોને રાહત થશે. પ્રશ્ન: સુપ્રસિધ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષો જૂની પ્રશ્ન મોબાઇલ નેટવર્ક છે તેનું નિરાકરણ કયારે અાવશે ? જવાબ : પાવાગઢના વિકાસના કામોની મીટીંગ સચિવ સાથે અાગામી 13 મીઅે છે. સ્થાનિક અધીકારીઅો સાથે મોબાઇલ ટાવરની ચર્ચાઅો કર્યા બાદ ડુંગર પર મોબાઇલ નેટવર્ક વિશે મીટીંગમાં ચર્ચાઅો કરીને વહેલી તકે મોબાઇલ ટાવર ઉભા કરવાની કામગીરી કરવામાં અાવશે. પ્રશ્ન: ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાના સર્જાય તે માટેનું કોઈ ખાસ આયોજન ? જવાબ: પાણી પુરવઠા અને વાસ્મો અધીકારી બોલાવીને પાણીની સ્થિતિ અંગેની અને ઉનાળાના અાયોજન કરવા માટે મીટીંગ બોાલવી છે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં પાણી જૂથ યોજનાનું નિરીક્ષણ કરીશું સાથે વાસ્મોની નલ સે જળ યોજનાની કામગીરીની ચકાસણી કરીશું . પ્રશ્ન: ગોધરામાં રોજગારીની તકે ઉભી કરવા જીઅાઇડીસીનો વિકાસ માટે શું કરશો ? જવાબ : ગોધરાની જીઅાઇડીસીનો વ્યાપ વધારવા અને રોજગારીની તકે ઉભી થાય તેવા અાયોજન માટે સ્ટેટ જીઅાઇડીસીના અધીકારી સાથે મીટીગ કરીશું પ્રશ્ન: ગોધરા શહેરા ભાગોળ ફાટક પરનો અંડર બ્રીજ કયારે બનશે ? જવાબ : ફાટક પર અંડર બ્રીજની કામગીરી કયાં કારણથી અટકી છે તેની માહીતી લઇને રેલ્વે અધીકારીઅોને બોલાવીને ખામીને દુર કરવાની અને વહેલીતકે ફાટક પરના અંડર પાસની કામગીરી શરૂ કરવામાં અાવશે. સાથે કાલોલના ડેરોલ પાસેના રેલ્વે અોવર બ્રીજ પર વહેલીતકે પુર્ણ થયા તેની પણ ચર્ચા કરીને નિરાકરણ લાવવામાં આવશે.