Monday, April 17, 2023

ભાવનગરમાં એક યુવક પરીક્ષામાં બેસ્યા વગર જ સરકારી નોકરીમાં લાગી ગયો, જે ડમી તરીકે બેસ્યો હતો તે હાલ કરાઈમાં PSIની તાલીમ લેતો હતો | A youth in Bhavnagar got into a government job without appearing for the exam, who sat as a dummy was currently undergoing PSI training at Karai. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • A Youth In Bhavnagar Got Into A Government Job Without Appearing For The Exam, Who Sat As A Dummy Was Currently Undergoing PSI Training At Karai.

ભાવનગર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની અટકાયત કરી છે. આ મામલે ઝડપાયેલા કુલ આરોપીઓનો આંક હવે 6 પર પહોંચ્યો છે. ભાવનગર પોલીસે આજે કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લઈ રહેલા અને ભાવનગરની ગર્વેમેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં કલાર્ક તરીકે નોકરી કરતા યુવકોને ઝડપી પાડ્યા છે. કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવકે ભાવનગરના યુવક માટે ડમી તરીકે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આજે ઝડપાયેલા બે આરોપી

આજે ઝડપાયેલા બે આરોપી

અક્ષર બારૈયાના ડમી તરીકે સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી
ભાવનગર પોલીસે આજે જે બે આરોપીઓની અટકાયત કરી છે. તેમાં એકનું નામ સંજય પંડ્યા છે જે કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યો છે. જ્યારે અન્ય આરોપીનું નામ અક્ષર બારૈયા છે. જે ભાવનગરની ગર્વેમેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં કલાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે. વર્ષ 2021માં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અક્ષર બારૈયા તરીકે સંજય પંડ્યાએ ડમી તરીકે પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયા પાસ થતા તેને સરકારી નોકરી પણ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે.

ડમીકાંડ મામલે આ પહેલા ચાર આરોપીઓની ધરપકડ
ભાવનગર પોલીસ આ પહેલા આ મામલે શરદકુમાર સ/ઓ ભાનુશંકર શાંતિભાઈ પનોત ઉં.મ.34 દિહોર રહે.તળાજા, પ્રકાશભાઈ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે ઉ.મ.35 રહે.પીપરલા તળાજા, બળદેવ રમેશભાઈ રાઠોડ ઉ.મ.29 રહે.ગામ દિહોર તળાજા, પ્રદીપકુમાર નંદલાલભાઈ બારૈયા ઉ.મ.33 રહે.દેવગણા સિહોર ચાર શખ્સોને ત્રણ દિવસ પહેલા ઝડપી લીધા હતા.

15 તારીખે ઝડપાયેલા ચાર આરોપીઓ

15 તારીખે ઝડપાયેલા ચાર આરોપીઓ

હજી પણ 30 આરોપીઓને ઝડપવાના બાકી
ડમી કાંડ મામલે ભાવનગર પોલીસે 14 એપ્રિલે 36 ઉમેદવારો સામે ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હજી પણ 30 આરોપીઓને ઝડપવાના બાકી છે. આ ઉપરાંત આ મામલે હજી પણ વધુ આરોપીઓની સંડોવણી ખુલ્લી શકે છે. જે આરોપીઓને ઝડપવાના બાકી છે તેઓના નામની યાદી નીચે મુજબ છે.
(1) મિલનભાઈ ઘુઘાભાઈ બારૈયા રહે.તળાજા
(2) શરદભાઈના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(3) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી રહે.ભાવનગર
(4) કવિત એન.રાવ રહે. ભાવનગર
(5) ભાવેશ રમેશભાઈ જેઠવા રહે.પીપરલા તળાજા
(6) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(7) જી.એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
(8) રાજ ગીગાભાઈ ભાલીયા રહે.ભાવનગર
(9) હિતેશ બાબુભાઈ રહે. ભાવનગર
(10) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ રહે.બોટાદ સીટી
(11) પાર્થ ઈશ્વરભાઈ જાની રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા
(12) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર
(13) રમણીકભાઈ મથુરામભાઈ જાની રહે.સિહોર ભાવનગર
(14) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે રહે.દિહોર તળાજા
(15) મહેશભાઈ લાભશંકરભાઈ લાઘવા રહે. કરમદીયા મહુવા
(16) અંકિત લકુમ રહે.ભાવનગર
(17) વિમલભાઈ બટુકભાઈ જાની રહે. દિહોર તળાજા
(18) કૌશિકકુમાર મહાશંકર જાની રહે. ભાવનગર
(19) જયદીપ બાબુભાઈ ભેડા રહે.ભાવનગર
(20) ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યા રહે.ભાવનગર
(21) ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર
(22) નિલેશ ઘનશ્યામભાઈ જાની રહે.ભાવનગર
(23) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર
(24) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલીયા રહે.ભાવનગર
(25) દિનેશ બટુકભાઈ પંડ્યા રહે.ભાવનગર
(26) ભદ્રેશભાઈ બટુકભાઈ પંડ્યા રહે.ભાવનગર
(27) અભિષેક પંડ્યા રહે.ટીમાણા તળાજા
(28) કલ્પેશ પંડ્યા રહે.તળાજા
(29) ચંદુભાઈ પંડ્યા રહે.ભાવનગર
(30) હિતેન હરિભાઈ બારૈયા રહે.ભાવનગર

સમગ્ર મામલાની તપાસ માટે કરવામાં આવી છે SITની રચના
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB,SOG,અને પેરોલ ફર્લે સ્કવોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.

કઈ રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
આરોપીઓ પોતાના ફાયદા માટે એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ ઉપરના ફોટોગ્રાફ લેપટોપના માધ્યમથી ચેડા કરી તેની જગ્યાએ ડમી વ્યકિતને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.

ડાબેથી બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ જાડેજા

ડાબેથી બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ જાડેજા

જે કૌભાંડ સામે લાવ્યા તેની સામે પણ આક્ષેપો થયા
પાંચમી એપ્રિલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારની વિવિધ સરકારી ભરતીની પરીક્ષાઓમાં ડમીકાંડ ચાલતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ જાડેજા દ્વારા ચાર નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે 14 એપ્રિલે 36 લોકો સામે ભાવનગરમાં ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ 15 એપ્રિલે યુવરાજસિંહના જૂના સાથી બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવરાજસિંહ દ્વારા ડમીકાંડમાં નામ જાહેર કરવા ન બદલે કેટલાક લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, યુવરાજસિંહ દ્વારા આ આક્ષેપોનો ખોટા અને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: