Sunday, April 23, 2023

વલસાડ તાલુકા કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા ભગડાવડા ખાતે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું | Ram Katha organized at Bhagdavada by Valsad Taluka Koli Patel Pragati Mandal | Times Of Ahmedabad

વલસાડ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ તાલુકા કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 7માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના લાભાર્થે ભગડાવડા ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલના ઘર આંગણે રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે તિથલ રોડ સ્થિત લોહાણા સમાજ હોલથી કથા મંડપ સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કર્યું હતું. 9 દિવસ સુધી કથાકાર પ્રફુલભાઈ શુક્લ શ્રોતાઓને રામ કથાનું રસપાન કરાવશે. રામ કથા સમિતિ દ્વારા કથામાં તમામ ઉત્સવોમાં રામ ભક્તોને જોડાવવા આમંત્રણ પાઠવ્યું છે.

સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના લાભાર્થે ધારાસભ્ય ભરતભાઇ પટેલ ના નિવાસસ્થાને કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ ની 840મી રામ કથાનો મંગલ આરંભ થયો હતો.આ પૂર્વે પોથીયાત્રા કળશધારી બહેનો , વાજા – વાજિંત્રો સાથે કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં લોહાણા સમાજની વાડીએથી પ્રસ્થાન થઈ હતી. જેમા મોટી સંખ્યા મા ભાવિક ભક્તો જોડાયા હતા. કથાનુ મંગલમય દીપ પ્રાગટ્ય ગ. સ્વ. શાંતાબેન અરવિંદભાઈ ભાનુશાલી અને દિપેશભાઈ અરવિંદભાઈ ભાનુશાલી, હર્ષદભાઈ કટારિયા, પટેલ સમાજના ઉપ પ્રમુખ સસીભાઇ પટેલ, પ્રવીણભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ, સૌકતભાઈ ખોજાના વરદ હસ્તે કરવામા આવ્યું હતુ. ભાવનાબેન ભરતભાઈ પટેલ દ્રારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામા આવ્યું હતુ. આચાર્ય દીપક્ભાઇ જોષી દ્રારા મંત્રોચાર કરવામા આવ્યા હતા. કથાનુ મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતુ કે “રામની સંસ્કૃતિ એ સમાજમાં સેતુ બાંધવાના કામ કર્યા છે.” અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીને અત્યાર સુધી 6 સમૂહ લગ્નનું આયોજન કરીને 790 ગરીબ દીકરીઓને સાસરે વળાવાય છે. 7માં સમૂહ લગ્નમાં 151 યુગલો સર્વજ્ઞતી સમૂહ લગ્નમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…