Sunday, April 9, 2023

નદી પર કાચો પૂલ તૈયાર પણ પૂલની આજુબાજુમાં બેરીકેટ ના લગાવતાં પોલીસે પ્રવાસીઓને અટકાવ્યાં, સ્થાનિકો અને પ્રવાસીઓ વિફર્યા | A raw pool was prepared on the river but no barricades were placed around the pool, police stopped the tourists, locals and tourists scattered. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Raw Pool Was Prepared On The River But No Barricades Were Placed Around The Pool, Police Stopped The Tourists, Locals And Tourists Scattered.

નર્મદા (રાજપીપળા)28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા માતાજીની પંચપોષી પરિક્રમાને હજુ 11 દિવસ બાકી છે અને આ દિવસોમાં હજુ લાખો ભક્તો પરિક્રમા કરવા આવનારા હોવાથી પરિક્રમા વાસીઓની ભીડ વધી જતાં નાવડીમાં બેસવા અફરા તફરી સર્જાઈ છે. જેને લઈને સ્થાનિકો, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, સહેરાવ સરપંચ સહીત આગેવાનો કામે લગતા કાચો પૂલ બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. છતાં તંત્ર વારંવાર પરિક્રમાની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રોડા નાખતા હોય એમ સ્થાનિકોએ સ્વ ખર્ચે મહામહેનતે બનાવેલા બ્રિજ પર બેરિકેડ મુકવાનો મુદ્દો કાઢી પોલીસ મૂકી પ્રવાસીઓને અટકાવ્યા હતા. જેથી પોલીસ અને પ્રરિક્રમાવાસીઓ વચ્ચે ચકમક પણ ઝરી ઘર્ષણ પણ ઉભું થયું હતુ. સ્થાનિક નેતાઓ અને પ્રવાસીઓએ ઉપર રજૂઆતો કરતા અંતે તંત્ર ઝૂકીને માર્ગ મકાન વિભાગે પૂલની ચો-તરફ આડસ કરી મંડપ બનાવ્યો આજથી પ્રવાસીઓ શાંતિથી આ પૂલ પરથી જઈ શકાશે.

ઉત્તરવાહિનીમાં નર્મદાની પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ પરિક્રમામાં તંત્ર દ્વારા સારી મહેનત કરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી, પરંતુ જે સમસ્યા હતી તે ઉકેલવામાં તંત્ર નિષ્ફળ રહ્યું, બોટ દ્વારા બે વાર પરિક્રમા પાર કરવાની હોય ત્યાં જરૂરી સુવિધાઓ ઉભી કરવાની જગ્યાએ બીજે માથા માર્યા અને જે સ્થાનિકો કાચો પૂલ બનાવી સ્વ ખર્ચે સમસ્યા દૂર કરવાની કોશિશ કરી ત્યારે કાયદાઓ સામે ધરી રોડા નાખવાનું કામ કર્યું પરંતુ જે નાવિકોને પરવનાવો આપ્યો છે તેમની પાસે કામગીરી લીધી નહિ અને કોઈ સુરક્ષાનું સૂચન ના કર્યું. સ્થાનિકો પરિક્રમાવાસીઓની સેવા કરતા રહ્યા. હવે આવતા વર્ષે તંત્ર આ પરિક્રમાની ખામીઓ શોધી સરળતા કરે એ જરૂરી બન્યું છે.

નર્મદા નદી પરની પંચકોશી પરિક્રમા ગુજરાત જ નહિં દેશ ભરમાંથી ભક્તો અહીંયા આવે છે. પરિક્રમાં કરે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે હવે દેશની આ બીજી મોટી અને લાંબી પરિક્રમા ગણાશે. જેમાં મંત્રીથી લઇ IAS, IPS, GAS ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સહીત કરોડપતિઓ અને ગરીબ, મધ્યમ વર્ગના લોકો આ પરિક્રમા કરે છે. કોઈ 11 વાર કરે, તો કોઈ 21 વાર કરવાની બાધા રાખે છે. જે તે ભક્તોને તેમનું માનવાંછુક ફળ મળતું હશે. તો જ પરિક્રમવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્રએ જાગીને જરૂરી કામગીરી કરવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: