Sunday, April 23, 2023

ઈડરના મુડેટીમાં RSSના વડા મોહન ભાગવતે પાઠશાળાના વિધાર્થીઓ અને અધ્યાપકોનું સન્માન કર્યું, હિંમતનગરમાં ત્રણ કલાક કાર્યકરના ઘરે રોકાણ કર્યું | RSS chief Mohan Bhagwat honored the students and teachers of the school in Eder's mudeti, staying for three hours at the worker's home in Himmatnagar. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • RSS Chief Mohan Bhagwat Honored The Students And Teachers Of The School In Eder’s Mudeti, Staying For Three Hours At The Worker’s Home In Himmatnagar.

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

RSSના વડા મોહન ભાગવત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ અને વેદ સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવમાં હાજરી આપી હતી. મહાવિદ્યાલયના વિધાર્થીઓ અને અધ્યાપકોનું સન્માન કર્યું હતું અને પાઠશાળાની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરી હિંમતનગરમાં એક કાર્યકરના ઘરે ત્રણ કલાક રોકાણ કર્યા બાદ સાંજે ચંદ્રાલા ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવા 5 વાગે રવાના થયા હતા.

ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલા ભગવાન યાજ્ઞવલ્કય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત જ્ઞાન ગૌરવ સમારંભ અને વેદ સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે જ સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લાના ભાજપના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુડેટી વેદ સંસ્કૃત પાઠશાળાના નવીનીકરણ માટે દાન પણ એકઠું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા RSS ના વડા મોહન ભાગવતે ઉપસ્થિત સૌને હિન્દુ શાસ્ત્રોક પ્રમાણે શુદ્ધ અને સાત્વિક રહેવા આહવાન કર્યું હતું. જોકે પ્રાણી અને મનુષ્યમાં રહેલા ફરકને પણ ઉદાહરણ આપી સમજાવ્યું હતું. હિન્દૂ સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા જાળવી રાખવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે વિશિષ્ટ પાઠશાળાના વિધાર્થીઓ અને અધ્યાપકોનું સન્માન કર્યું હતું. તો મંચસ્થ સંતો અને મહંતોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. તો ઉપસ્થિત મહેમાનો અને પાઠશાળા વતી RSSના વડા મોહન ભાગવતનું શાલ ઓઢાડી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. ત્યારબાદ પાઠશાળાની મુલાકાત લીધી હતી.

મુડેટી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરીને હિંમતનગરના મહાવીરનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલા અંબિકા સોસાયટીમાં RSSના હસમુખ પટેલના ઘરે ત્રણ કલાક રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગરના ચંદ્રાલા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા સાંજે 5 વાગ્યે હિંમતનગરથી રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: