- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Sept University Student Commits Suicide By Jumping From Sixth Floor Of Apartment In Ahmedabad, Family In Vadodara Shocked, Not Ready To Say Anything
વડોદરા8 મિનિટ પહેલા
- કૉપી લિંક

મૃતક વિદ્યાર્થી શિવ મિસ્ત્રીની ફાઇલ તસવીર.
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા અને અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા 23 વર્ષીય વિદ્યાર્થીએ અમદાવાદના ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર વિદ્યાર્થીના વડોદરા રહેતા પરિવારજનો આઘાતમાં છે અને કંઈ પણ કહેવા માટે તૈયાર નથી.
આસપાસના લોકો પણ પરિવારને ઓળખતા નથી
દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે મૃતક શિવ મિસ્ત્રીના ઘરે પહોંચી ત્યારે તેનો પરિવાર આઘાતમાં જણાતો હતો અને પરિવારજનો આ મામલે કંઈ પણ કહેવા માગતા નહોતા. જો કે, આસપાસમાં રહેતા લોકોને કહેતા તેઓએ જણાવ્યું હતું કે, મિસ્ત્રી પરિવાર સુખી-સંપન્ન છે અને મહેન્દ્રભાઇ મિસ્ત્રી વર્કશોપ ચલાવે છે. છેલ્લા દોઢ વર્ષથી મિસ્ત્રી પરિવાર આ મકાનમાં રહે છે. સ્થાનિક યુવાનોને પૂછતા તેઓ મૃતક યુવાનના સંપર્કમાં નહોતા તેમ જણાવ્યું હતું.
વડોદરાના યુવાને અમદાવાદમાં આપઘાત કર્યો
અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીની આર્કિટેક ફેકલ્ટીમાં ભણતા વિદ્યાર્થી શિવ મહેન્દ્રભાઇ મિસ્ત્રીએ 25 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યે અમદાવાદના આંબાવાડી સ્થિત ગીરીરાજ કોલોની પાસેના ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસને માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં યુવકની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હતી
વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, સેપ્ટમાં પાછા આવવાનો નિર્ણય મારો જ હતો. કારણ કે, હું આર્કિટેક્ટ બનવા માગતો હતો. હું એક એવુ બાળક છું. જેને ઘરમાં એવી લાગણી થાય છે કે, તે તેના માતા-પિતાની નજરમાં એક નિષ્ફળ સંતાન છે. ઘરના વર્કશોપમાં વર્ષો સુધી કામ કર્યાં બાદ તેનામાં ગુસ્સો અને નિરાશા છે. ઘરમાં ચાલતા ઝઘડાને કારણે ઊભા થયેલા માહોલમાં કોઈ ઉકેલ આવે તે માટે આ પગલું ભર્યું છે. એવું લાગે છે કે, હું તમારું અણગમતું સંતાન છું. હું જીવનમાં ઘણું બધું કરવા માગતો હતો. પપ્પા, હું તમારા હાથ નીચે વર્કશોપમાં કામ કરવા માગતો નહોતો. હું અલગ રસ્તો બનાવવા માગતો હતો. તમે મને વર્કશોપમાં કામ કરવા દીધું હોત તો આ શક્ય બની શકત, ત્યાં હું હંમેશા ભાઈની અવેજીમાં હોય તેવું લાગતું.
અનેક તર્કવિતર્કો સર્જાયા
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સુખી-સંપન્ન મિસ્ત્રી પરિવારના પુત્ર શિવ મિસ્ત્રીએ અમદાવાદમાં આપઘાત કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. યુવાને પોતાના માતા-પિતા, મહિલા મિત્ર, મોટાભાઈ અને અન્ય એક સંબંધીને અલગ-અલગ સુસાઇડ નોટ લખી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે મિસ્ત્રી પરિવારે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.