અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ભણતરના ભારથી હવે વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. હરીફાઇના યુગમાં ધાર્યું પરિણામ નહિ આવે તેવી ચિંતામાં તેજસ્વી વિદ્યાર્થીઓ અંત્યાદી પગલું ભરી લેતા હોય છે. વડોદરાનો શિવ મિસ્ત્રી સેપ્ટ યુનિવર્સીટમાં આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે જ રાત્રે તેણે ધાબેથી પડતું મુકીને આપાઘાત કરી લીધો છે. પરિવારજનોનું કહેવું છે કે, ભણતરના ભારથી જ તેણે આ પગલું ભર્યું હોઇ શકે છે. આ બનાવ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ધાબેથી કુદીને આપઘાત કરી લીધો
આ ઘટના સંદર્ભે ગુજરાત યુનિવર્સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો એવી છે કે, રાત્રે 12-00 વાગ્યે પોલીસને મેસેજ મળ્યો હતો કે, આંબાવાડી સ્થિત ગીરીરાજ કોલાની પાસેના ધ્રુવીન એપાર્ટમેન્ટના ધાબેથી કોઇએ કુદીને આપઘાત કરી લીધો છે.
અંગત કારણોસર મોતની છલાંગ લગાવી
ઘટનાસ્થળે દોડા ગયેલી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૂળ વડોદરાના સમાગામનો રહેવાસી શિવ મહેન્દ્રભાઇ મિસ્ત્રિ (ઉ.વ. 23) સેપ્ટ યુનિ.માં આર્કીટેક્ટ વિભાગમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. તેણે રાત્રે કોઇ અંગત કારણોસર મોતની છલાંગ લગાવી લીધી છે. પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પુછપરછમાં તે અભ્યાસને લઇને માનસિક ટેન્સનમાં હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોઇ શકે છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી આ પ્રકરણની વધુ તપાસ શરૂ કરી છે.