ભરૂચ3 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચ તાલુકાના લુવારા ગામની કેનાલમાંથી જીવદયા પ્રેમીઓએ સાત ફૂંટ લાંબા અજગરને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.
એપ્રિલ મહિનાથી આકરી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે તાપમાનનો પારો પણ 38 થી 40 ડિગ્રીને પાર પહોંચતા આકાશમાંથી જાણે સૂર્યનારાયણ અગનવર્ષા કરી રહ્યા હોઈ તેવો અનુભવ મનુષ્ય અને પ્રાણી સૌ કોઈને થઈ રહ્યો છે. ખાસ કરીને સરીસૃપ પ્રાણીઓ આકરી ગરમીથી બચવા ઠંડી જગ્યા શોધી રહ્યા છે. ત્યારે ભરૂચ તાલુકાના લુવારા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મહાકાય અજગર દેખાતા ગામના સરપંચ સીરાજભાઈએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટમાં જાહિદ દિવાનનો સંપર્ક કર્યો હતો. જેઓએ ટ્રસ્ટના અન્ય સભ્ય હિરેન શાહ અને રમેશ દવેને જાણ કરતા જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કેનાલના પાણીમાંથી સાત ફૂટ લાંબા અજગરને પકડી પાડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.
આટલા વિશાળકાય અજગરને પકડવાની 2-3 કોશિશ નિષ્ફળ નીવડી હતી,અને અજગરે જીવદયા પ્રેમીઓએ હાથ તાળી આપી હતી. જોકે મહા મહેનત બાદ મહાકાય અજગર પકડતા સ્થળ પર લોકોના ટોળા જોવા માટે જામ્યા હતા અને અજગર ને પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો હતો.