Thursday, April 20, 2023

સોમપ્રકાશ સ્વામીએ કહ્યં- બાળકોમાં સંસ્કાર આવે એ માટે ઘરનું વાતાવરણ પણ ધાર્મિક બનાવવું પડે | Somprakash Swami said that the atmosphere of the house should also be made religious in order for the children to get religious | Times Of Ahmedabad

ભાવનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

BAPS અક્ષર વાડી મંદિર દ્વારા ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત હરીલીલામૃત ગ્રંથની પારાયણનો લાભ સોમપ્રકાશ સ્વામી આપી રહ્યા છે જેમાં પાંચ દિવસ દરમિયાન કથાનું રસપાન કરવા આવી રહ્યું છે, જેમાં શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતાં,

જીવનમાં ભગવાનને ક્યારેય ભૂલવા નહિ
સોમપ્રકાશ સ્વામીએ પારાયણના તૃતીય દિવસે કથામૃતનો લાભ આપતા જણાવ્યું કે, ભગવાનનું પ્રાગટ્ય ભક્તો માટે અને ભક્તોના સંકલ્પો પૂરા કરવા થતું હોય છે. ભગવાનના પ્રાગટ્યથી આસુરી શક્તિમાં ભય ફેલાતો હોય છે. બાળ પ્રભુ ઘનશ્યામ પ્રગટયા ત્યારે કાલીદત નામનો અસુર પ્રભુ ને મારવા તૈયાર થયો પરંતુ પોતે જ હણાયો. જીવનમાં ભગવાનને ક્યારેય ભૂલવા નહીં, તેને ભૂલીને કોઈ કાર્ય કરવું નહીં. આપણે કોણ છીએ, કોના છીએ, કોના માટે છીએ એનું સતત અનુસંધાન રાખવું. આ અનુસંધાન હોય તો ક્યારેય ધર્મના માર્ગેથી ચલિત થવાય નહિ.

ઘરનું વાતાવરણ પણ ધાર્મિક બનાવવું
પારાયણમાં બાળ સંસ્કારની વાત કરતા જણાવ્યું કે, બાળકોમાં સંસ્કાર આવે એ માટે ઘરનું વાતાવરણ પણ ધાર્મિક બનાવવું પડે. આ માટે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલા પારિવારિક શાંતિ માટે ઘરસભાની આજ્ઞા કરી, જેમાં પરિવારના બધા જ સભ્યો પોતાના અનુકુળ સમયે સાથે બેસી ધાર્મિક ગ્રંથો, સદ વાંચન વાંચન કરે, એકબીજા સાથે વાતો કરે તો આત્મીયતા વધે. પરસ્પર સ્નેહ વધે. ઘર પણ તીર્થ બની જાય. પારિવારિક શાંતિ થઈ જાય. મા બાપને ક્યારેય ભૂલવા નહિ, તેમના આપણા ઉપર અગણિત ઉપકારો છે, માટે જીવનભર તેમની સેવા કરવી, કાળજી રાખવી જોઇએ.
મહાનુભાવોએ કથાનો લાભ લીધો
કથા શ્રવણનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ તથા પક્ષના હોદેદારો, પ્રેમ યોગ ફાઉન્ડેશનના પ્રમુખ રણધીરસિંહ, રાજપૂત સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી બે દિવસ શ્રી હરી લીલામૃત ગ્રંથ પારાયણનો લાભ લેવા સૌને નિમંત્રણ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: