Wednesday, April 26, 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સ્ટોલ્સ ઉભા કરાયા; ખેડૂત, પશુપાલક મિત્રો, પ્રવાસીઓને માહિતાગર કરાયા | Stalls on organic farming were set up in front of the Statue of Unity; Farmers, animal husbandry friends, tourists were informed | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Stalls On Organic Farming Were Set Up In Front Of The Statue Of Unity; Farmers, Animal Husbandry Friends, Tourists Were Informed

નર્મદા (રાજપીપળા)38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમગ્ર વિશ્વ વર્ષ-2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સાંન્નિધ્યમાં એકતા પરેડગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહિવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે જી-20ની થીમ સાથે મિલેટ્સ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પશુપાલક, ખેડુત મિત્રો, પ્રવાસીઓને મિલેટ્સ પાકોનું મહત્ત્વ, ઉપયોગિતા, જરૂરિયાત અને પ્રાકૃતિક ખેતીમાં તેના કુશળ ઉપયોગ વિશે કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરુ પડાયું હતું. સ્થાનિક મહિલાઓ દ્વારા હલકા ધાન્ય માંથી બનાવેલી વિવિધ વાનગીનું પ્રદર્શન પણ યોજાયું હતું.

નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ મિલેટ્સની ખેતી સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે અને મિલેટ્સ પાકોના ઉત્પાદનમાં પાણી અને ખાતરની જરૂરિયાત નહિવત હોય છે. જેમાં મુખ્ય પાકો તરીકે જુવાર-બાજરી તેમજ અન્ય મિલેટ તરીકે નાગલી, કોદરા, મોરીયા, બંટી, કાંગ જે ધાન્યો વધુ પ્રોટીન-આયર્ન સહિતના પૌષ્ટિક તત્વોથી ભરપુર છે. જે નર્મદા જિલ્લામાંથી બાળકોમાં રહેલા કુપોષણના સ્તરને નાથવા માટે સક્ષમ અને સહયોગી સાબિત થઈ શકે છે. જો નર્મદા જિલ્લાના ખેડૂતો પર ભાર મુકવામાં આવે તો કદાચ ગુજરાત રાજ્યને આ નર્મદા જિલ્લો જ મિલેટ્સના ધાન્યો પુરા પાડી શકે છે. જેથી જાગૃતિ માટે તંત્ર દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે. કેટલાક ખાનગી સંસ્થા પણ ખાસ મિલેટ્સના ઉત્પાદન માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં 50 ટકા કરતા વધુ મિલેટ્સ ઉત્પાદન થાય એ જરૂરી બન્યું છે.

જિલ્લાના અંકિત પન્નુંએ જણાવ્યું કે, વિજ્ઞાને પણ પ્રગતિ કરી છે જેના ભાગરૂપે મિલેટ્સ ક્રાંતિ શરૂ થઈ ચુકી છે. વાતાવરણ પ્રમાણે માનવશરીરને અનુરૂપ ખોરાકની ઓળખ શક્ય બની છે. આજે સંપૂર્ણ વિશ્વ મિલેટ્સ તરફ પ્રયાણ કરી રહ્યું છે. મિલેટ્સની ખેતી માટે નર્મદા જિલ્લાની જમીન અનુકુળ છે. આરોગ્યપ્રદ જીવન માટે હલકા ધાન્યને ઝડપી અપનાવવું જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ ખેડૂતમિત્રોને હલકા ધાન્યની ખેતી, ઉત્પાદન અને ઉપયોગથી માહિતગાર થવા તેમજ આજના યુગમાં મિલેટ્સ (હલકા ધાન્ય)ને દૈનિક આહારમાં અને પ્રાકૃતિક ખેતીમાંથી ઉપજ વધારવા ભાર મુક્યો હતો.

Related Posts: