Monday, April 24, 2023

યુવરાજસિંહ પર ખંડણી અને ગુનાહિત કાવતરાની કલમોના કેસ પરત લેવા અને ન્યાય અપાવવા વિદ્યાર્થી સંગઠને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું | The student union has sent a petition to the collector to withdraw the cases of extortion and criminal conspiracy against Yuvraj Singh and get justice. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Student Union Has Sent A Petition To The Collector To Withdraw The Cases Of Extortion And Criminal Conspiracy Against Yuvraj Singh And Get Justice.

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિદ્યાર્થીઓના નેતા તરીકે જાણીતા થયેલા યુવરાજસિંહ પર ડમીકાંડ મામલે પૈસાનો તોડ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ દ્વારા તેના પર અલગ-અલગ કલમો લગાવી અને ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ વિદ્યાર્થી સંગઠન યુવરાજસિંહના સમર્થનમાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુવરાજસિંહને છોડાવવા માટે રજૂઆત કરી હતી અને યોગ્ય ન્યાયની માગણી કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી પરીક્ષાઓમા યેન કેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કર્યા છે અને અવાજ ઉઠાવતા રહ્યા છે. યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય કલાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતી બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યા છે.

વધુમાં જણાવ્યું કે, યુવાઓના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાડને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ. યુવરાજસિંહ પર ભાવનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામા લગાવેલી 388, 386, 120B જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુકત કરવા. સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલીક યુવરાજસિંહ પર લગાવેલા ગુનાઓ દુર કરવામાં આવે અને એમને રિલીઝ કરવામાં આવે એની માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગુજરાતના સર્વ સમાજના લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે.

વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા થયેલા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં જૂનાગઢના વિદ્યાર્થી સંગઠનને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની પોલીસને જાણ થતા પોલીસ પણ કલેકટર ઓફિસે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવવાની કોશિશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…