- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- A Team From The Central Salt And Marine Chemicals Research Institute Collected Water And Soil Samples From Saline Soils Of Villages In Tharad Vav Taluk.
બનાસકાંઠા (પાલનપુર)5 કલાક પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની જમીનમાં ક્ષાર અને ખારાશનું પ્રમાણ હોવાથી ઘણા સમયથી સરહદી વિસ્તારના ખેડૂતોની માંગણી હતી કે જમીનના સેમ્પલ લેવામાં આવે જે અનુસંધાને આજરોજ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI ભાવનગરથી આવેલ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ અને વાવ તાલુકાના ગામોની ખારાશ વાળી જમીનના પાણી અને માટીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

સરહદી વિસ્તારમાં ખેતી લાયક જમીનમાં વધુ પડતો ક્ષાર અને ખારાશ હોવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. જેથી જમીનમાં રહેલ ક્ષાર અને ખારાશનું પ્રમાણ જાણી શકાય તો તેના આધારે આ જમીનમાં ખેતી કરવી કે નહી તે નક્કી કરી શકાય છે. જે અંતર્ગત થરાદ તાલુકાના ખાનપુર, નાગલા, ભડોદર સહિતના ગામો તેમજ વાવ તાલુકાના અસારા, માવસરી, કુંડાળિયા અને છતરપુરા સહિતનાં ગામોની ખેતી ઉપયોગી જમીનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ કામગીરી દરમિયાન થરાદ પ્રાંત અધિકારી કે. એસ ડાભી, ખાનપુરના સરપંચ, પૂર્વ સરપંચ નાગજીભાઈ પટેલ, ડોડગામના સરપંચ તેમજ નાગલા, ભડોદર, અસારા, માવસરી, કુંડાળિયા અને છતરપુરા સહિતના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




