Wednesday, April 19, 2023

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ઊંઘની ગોળીઓ ખાઇ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પરિણામથી નાસીપાસ થઈ ગઈ | Vadodara M.S. University student takes sleeping pills in attempt to shorten life, fails | Times Of Ahmedabad

વડોદરા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીનાં આર્કીટેક્ચર વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એટીકેટી આવતા વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવાથી બેભાન થઇ ગયેલી વિદ્યાર્થીનીને હોસ્ટલના સત્તાવાળાઓ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી
મળેલી માહિતી પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હેતલ (નામ બદલ્યું છે) યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રહેતી હતી અને તાજેતરમાં જ તેની પરીક્ષા યોજાઇ હતી. તે આ પરીક્ષાનાં પરિણામની રાહ જોતી હતી અને તેને લઈને તે સતત ચિંતીત રહેતી હતી. આ સમય દરમિયાન તેના જાહેર થયેલા પરિણામમાં એ.ટી.કે.ટી. આવતા તે નાસીપાસ થઇ ગઇ હતી.

પરિણામના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો
હોસ્ટેલમાં રહેતી હેતલની સાથે રહેતી અન્ય સ્ટુડન્ટ આ સમયે રુમમાં હાજર નહોતી એટલે કે તે એકલી જ હતી. એકલી હોવાના કારણે પરિણામને લઇને તે સતત મુંઝવણ અનુભવી રહી હતી અને સતત વિચારોના કારણે ઊંઘ પણ આવતી ન હતી. આ દરમિયાન પરિણામથી નાસીપાસ થઇ ગયેલી હેતલે વધુ માત્રામાં ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

યુવતી સયાજી હોસ્પિટલમાં દાખલ
વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઇ લેતા યુવતી બેભાન થઇ ગઇ હતી. આ અંગેની જાણ હોસ્ટેલના સત્તાવાળા રૂપાલીબહેનને થતાં તુરંત જ તેઓ હેતલને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે હેતલની તબીયત સુધારા પર છે. બીજી બાજુ આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરી
એમ.એસ. યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હેતલે આપઘાતના કરેલા પ્રયાસે કેમ્પસમાં ચકચાર જગાવી મૂકી હતી. આ વિદ્યાર્થીનીએ પરિણામ એ.ટી.કે.ટી. આવી હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો છે કે, કોઇ અન્ય કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પાંચ વર્ષમાં 26 ટકાનો વધારો
ગુજરાતમાં વર્ષ 2020, 2021 અને 2023માં પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો થયો છે.વર્ષ 2021માં દેશમાં રોજ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યુ છે. દર કલાકે 1-2 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને માનવજીંદગીનો અંત આણ્યો છે. દેશમાં આપઘાત કરીને જીવન ટુંકાનારની સંખ્યામાં પાંચ વર્ષમાં 26 ટકાનો વધારો થયો છે.

13,000 વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ
દેશમાં થતી આત્મહત્યામાં 30 ટકાથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બિમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની,અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદાર છે. દેશમાં 2017માં 9905 જ્યારે 2021માં 13,000 વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ છે. 18 થી 30 વર્ષના વય ધરાવતા, આપઘાત કરનાર 33% OBC અને 20% SCના વિદ્યાર્થીઓ છે.

ચોકાવનારી વિગતો સામે આવી છે
Accidental Deaths and Suicides in India (ADSI) અને NCRBના રીપોર્ટમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વર્ષ 2017માં 45217 લોકોએ અને વર્ષ 2021માં 56543 લોકોએ આપઘાત કર્યા છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે જ્યારે ગુજરાત 6-7માં ક્રમાંકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સીલીંગ, કન્સલટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક સમય સુચક પગલા ભરવા જઈએ.

ગુજરાતમાં આપઘાતના આંકડા

વર્ષ આપઘાત
2017 638
2018 570
2019 575
2020 579
2021 622
કુલ 3002

અન્ય સમાચારો પણ છે…