પતિ, સાસુ-સસરાના ત્રાસથી પરિણીતાએ ઘરના શૌચાલયમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો | A woman hanged herself in the toilet of her house due to the torture of her husband, mother-in-law, a crime of incitement has been registered. | Times Of Ahmedabad

નડિયાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

નડિયાદના કિશોરપુરા ગામની 20 વર્ષિય પરીણીતાએ તેના પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી જઈને આત્મઘાતી પગલું ભર્યું છે. પરિણીતાએ પોતાની સાસરીમાં ઘરના શૌચાલયમાં ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી છે. મૃતક દિકરીના પિતાએ તેણીના સાસુ-સસરા‌ સામે ચકલાસી પોલીસમા દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે.
અવારનવાર રોકટોક કરતા હતા
ઠાસરા તાલુકાના ગોળજ ગામે રહેતા નરેન્દ્રભાઈ બુધાભાઇ રાઠોડની 20 વર્ષિય સૌથી મોટી દિકરીના લગ્ન ગયા વર્ષે નડિયાદ તાલુકાના વડતાલ પાસેના કિશોરપુરા ગામે રહેતા જયરાજસિંહ પ્રવિણભાઇ પરમાર સાથે થયા હતા. સસરા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે. લગ્નના થોડા માસ બાદ પરિણીતાને તેણીના સાસુ જણાવતા કે, તું તારા ઘરેથી કઈ લાવેલ નથી તો સસરા કોઈ જગ્યાએ​​​​​​​​​​​​​​ અવારનવાર રોકટોક કરતા હતા. તો પતિ પણ તેણીની પર વહેમ રાખતો હતો.
અગાઉ પણ ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી
જ્યારે જ્યારે પરિણીતા તેણીના સાસરેથી પિયરમાં જતી તો પોતાના પર થયેલી આપવીતી માવતરને કહેતી હતી. અગાઉ પત્ની અને પતિ જયરાજસિંહ વચ્ચે મોબાઈલ બાબતે માથાકુટ થતાં પરિણીતાએ જે તે સમયે ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે દિકરીનું ઘરસંસાર બગડે નહીં તે હેતુસર દિકરીના માવતર તેણીને સમજાવતા હતા. નરેન્દ્રભાઈ બુધાભાઇ રાઠોડ છેલ્લા બે મહિનાથી લોહીની કેન્સરની બીમારીથી પીડાતા હતા. ગત 2 એપ્રિલના રોજ નરેન્દ્રભાઈ અમદાવાદ ગયા હતા.
પિતા, ભાઈ અને કાકા સાથે છેલ્લી વાત કરી
આ સમયે સાસરે રહેલી પરીણીતાએ તેના સસરાના મોબાઈલ ફોન પરથી પોતાના પિતાને ફોન કરી જણાવ્યું કે, મારે તમારી સાથે આવવું છે, આ પછી તેના ભાઈ સાથે વાત કરી હતી અને ભાઈને કહ્યું ‘ પપ્પાને સાચવજે’ બાદમાં તેણીએ કાકા સાથે વાત કરીને કહ્યું કે ‘કાકા તમે મારા પપ્પાને સાચવજો’ તેમ કહી ફોન કટ કરી દીધો હતો. બાદમાં ફોન સ્વિચ ઓફ બોલતા નરેન્દ્રભાઈ રાઠોડે પડોશમાં રહેતા કાકી સાસુ મારફતે સંપર્ક કરતાં પરિણીતાના સાસુએ કહ્યુ કે તે ઘરના શૌચાલયમાં ગઈ હતી અને એ બાદ આ શૌચાલયનો દરવાજો ખોલતી નથી. આ બાદ દરવાજો તોડી ગળાફાંસો ખાવાની કોશિશ કરી હોવાનું જાણ થઈ હતી. અમે તેણીને દવાખાન લઈ જઈએ છીએ.
​​​​​​​પોતાની દિકરીને મરણ ગયેલી હાલતમાં જોઈ પિતા ચોકી ઉઠ્યા
આ બાબતની જાણ પરિણીતાના માવતરને થતાં તેઓ તુરંત દિકરીની સાસરી વડતાલ પાસેના કિશોરપુરા ગામે આવ્યાં હતા. પહોંચેલા નરેન્દ્રભાઈ રાઠોડે પોતાની દિકરીને મરણ ગયેલી હાલતમાં જોઈ ચોકી ઉઠ્યાં હતા અને આ બાબતે તેણીના પતિ, સાસુ, સસરા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપતાં હોય આ મામલે નરેન્દ્રભાઈ રાઠોડે દિકરીના સાસુ મેઘાબેન પ્રવિણભાઇ પરમાર, સસરા પ્રવિણભાઇ પ્રભાતભાઈ પરમાર અને જમાઈ જયરાજસિંહ પ્રવિણભાઈ પરમાર (તમામ રહે. કિશોરપુરા, વડતાલ, તા.નડિયાદ) સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post