34 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર
વડોદરા નજીક સેવાસી ગામ પાસે આવેલ 602 અર્બન રેસીડેન્સી માં રહેતી સગીરા હિમાની ચંદ્રકાન્ત રોહિતે છઠ્ઠા ફ્લોરની બાલ્કનીમાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જયારે વાઘોડિયાના લીમડા ગામના તળાવમાં યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
લોકોના ટોળા એકઠા થયા
મળેલી માહિતી પ્રમાણે હિમાની રોહિત પરિવાર સાથે સેવાસી ગામ પાસે આવેલી અર્બન રેસીડેન્સીમાં છઠ્ઠા ફ્લોર પર પરિવાર સાથે રહેતી હતી. છેલ્લા એક વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી. દરમિયાન તેને પોતાના મકાનની છઠ્ઠા માળની બાલકનીમાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ વડોદરા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમા માટે મોકલી આપ્યો હતો.
તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી
સગીરાએ છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપઘાત કરતા જ અર્બન રેસીડેન્સીના રહીશો દોડી આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ચર્ચા જગાવનાર આ બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પગ લપસતા ઉડા તળાવમાં ઘરક
તો બીજા બનાવવામાં વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં રહેતા 41 વર્ષના રાકેશભાઈ રવજીભાઈ વસાવા ગામના તળાવમાં ઉંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું . આ બનાવની જાણ ગામના રહેવાથી ભગુભાઈ મોહનભાઈ વસાવાએ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઈને વાઘોડિયા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગામના તળાવમાં રાકેશ વસાવાના નિપજેલા મોતના બનાવે ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.