ચાર્ટર્ડ પ્લેનમાં મહાનગરોમાં પહોંચશે, દૈનિક 1.50 લાખ ભક્તો ઊમટશે, 500 કાર સાથે ભવ્ય શોભાયાત્રા યોજશે | 1.50 lakh devotees will arrive in cities in chartered planes daily, a grand procession will be held with 500 cars. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં હાલ એક જ નામ ચર્ચામાં છે અને એ છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી…,તારીખ 26 મેથી 3 જૂન સુધી બાગેશ્વર બાબા ગુજરાતનાં ચાર મહાનગર- સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે સભા સંબોધવાના છે. જેએ લઈને તેમના ભક્તો દ્વારા આલીશાન આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ મહાનગરોમાં પ્રવાસ માટે બાબા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરશે. રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલા દસ બેડરૂમના બંગલામાં રહેશે. તેમની સભાઓ દરમિયાન દૈનિક 1.50 લાખ જેટલા ભક્તો ઉપસ્થિત રહેશે અને 500 જેટલી કાર સાથે તેમની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આ સમગ્ર આયોજન અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે.

સુરતમાં બાબાની ધમાકેદાર એન્ટ્રી
સૌપ્રથમ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે. જ્યાં તેઓ તારીખ 26 અને 27 મે 2023ના આવી રહ્યા છે. એને લઈને બાગેશ્વર ધામ સરકાર આયોજક સમિતિ દ્વારા બેઠકો શરૂ કરીને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 26 મેના રોજ તેઓ ચાર્ટર્ડ પ્લેનથી સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ તેમના નિવાસસ્થાનની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પહોંચશે

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે.

ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી
બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્ય દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે ખૂબ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકચાહના સતત વધી રહી છે. તેઓ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, જેને કારણે લોકોની આસ્થા પણ ખૂબ જ વધી છે. તેઓ સુરત ચાર્ટર્ડ પ્લેનથી આવવાના છે. સાંજે પાંચ વાગ્યાનો કાર્યક્રમ છે, એ પહેલા જ તેઓ સુરત પહોંચી જશે. તેમના નિવાસસ્થાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમની જે ટીમ છે તેમના માટેની પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

1,75,000 શ્રોતાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

1,75,000 શ્રોતાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશાળ ગ્રાન્ડ ઉપર થશે આયોજન
આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ભવ્ય અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એમાં ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે વિશાળ એવા 16+4 એટલે કે 20 બ્લોક બનાવવામાં આવશે, જેમાં ટોટલ 7,20,000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવશે. આ 20 બ્લોકમાં ટોટલ 1,75,000 શ્રોતાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શ્રોતાઓ માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ કુલ 6 જગ્યાએ નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.100×40 ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે છે તથા 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતાં એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.

100×40 ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે.

100×40 ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહેશે
બાગેશ્વર સરકાર આયોજન સમિતિના પ્રવક્તા કૈલાસ હાકિમે જણાવ્યું હતું કે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવશે, કારણ કે તેમનો ચાહક વર્ગ ખૂબ જ મોટો છે. લાખોની સંખ્યામાં બે દિવસમાં લોકો અહીં મેદાન ઉપર ઊમટી પડશે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પર ખાસ ધ્યાનમાં રાખી છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે અને સાથે સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનાં દર્શન પણ સૌકોઈ સારી રીતે કરી શકે એવો અમે પ્રયાસ કરી રહ્યા છે. બેઠક વ્યવસ્થા પણ એ પ્રકારે જ ગોઠવવામાં આવશે. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

અમદાવાદ ખાતે તારીખ 29 અને 30 મેના રોજ સભા સંબોધવાના છે.

અમદાવાદ ખાતે તારીખ 29 અને 30 મેના રોજ સભા સંબોધવાના છે.

અમદાવાદમાં 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે
સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 29 અને 30 મેના રોજ અમદાવાદ ખાતે સભા સંબોધવાના છે, ત્યારે તેમની રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રહેવા માટે એક ખાસ બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે આ બંગલાની મુલાકાત લીધી હતી. એમાં 10 જેટલા રૂમ સાથે બે માળના બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવ સાથે રહેશે. બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.

અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે

અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે

શાસ્ત્રી માટે અત્યાધુનિક એસી સાથેનો બંગલો
નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. એમાં ગ્રાઉન્ડ ક્લોર પર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળ ઉપરના બે રૂમમાં તેમના સચિવ સાથે જ રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલામાં તમામ નવી વસ્તુઓ મૂકવામાં આવશે. પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવાં મૂકવામાં આવશે.

બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

એક વર્ષ પહેલાં શાસ્ત્રીએ મુલાકાત લીધી હતી
અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજક પુરુષોત્તમ શર્માએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી એક વર્ષ અગાઉ આ જગ્યા પર આવી ચૂક્યા છે અને ફરીથી તેઓ આવવાના હતા, તેમણે સંકલ્પ કર્યો હતો. એને લઇ 29 અને 30 મેના રોજ બે દિવસ અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના રહેવા માટે ખાસ બંગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખો નવો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. તેમના સચિવ સાથે તેઓ રહેશે. બંગલાની સિક્યોરિટી માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.

10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે.

10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે.

સ્ટાફ માટે 20 જેટલાં મકાનોની વ્યવસ્થા
મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં આસપાસનાં મકાનોની વ્યવસ્થા કરી છે. અંદાજે રૂપિયા 80 લાખના ખર્ચે બનનારા બે માળના બંગલામાં 10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે. બંગલામાં એક મંદિર બનાવવામાં આવશે. આ બંગલાની તમામ કામગીરી થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે. 25થી વધુ રસોઈયા સવાર-સાંજ ચાર દિવસ માટે રસોઈ માટે હાજર રહેશે. તદ્દન નવાં પલંગ, ગાદલાં, એસી વગેરે મૂકવામાં આવશે.

રાજકોટમાં 32 સમિતિ અને 600 કાર્યકર દ્વારા તૈયારી શરૂ
અમદાવાદ ખાતે કાર્યકમ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે બાગેશ્વરધામ સમિતિ દ્વારા રાજકોટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમજ અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. નોંધનીય છે કે 31 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવશે અને તા. 1 અને 2 જૂને તેનો સનાતન ધર્મ અંગેનો કાર્યક્રમ યોજાશે. આ માટે 32 સમિતિ અને 600 જેટલા કાર્યકરો ખડેપગે રહેશે. પ્રથમ દિવસે બાગેશ્વર બાબા દ્વારા 500 કાર સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે.

રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન.

રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન.

બે દિવસ ધર્મસભા સહિતના કાર્યક્રમો
સમગ્ર આયોજનનાં અધ્યક્ષ યોગીન છનિયારાએ જણાવ્યું હતું કે બાગેશ્વર સેવા સમિતિ દ્વારા સનાતન ધર્મનાં પ્રચાર માટે આગામી 1 અને 2 જૂન એમ બે દિવસ ધર્મસભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત 31 તારીખે જ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી જશે. આ કાર્યક્રમ માટે રેસકોર્સ મેદાનમાં સમિતિ દ્વારા વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે જુદી-જુદી 32 સમિતિ બનાવી અને તેના 600 જેટલા કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજે 75 હજારથી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે.

રાજકોટ બાગેશ્વર સેવા સમિતિના યોગીન છનિયારા.

રાજકોટ બાગેશ્વર સેવા સમિતિના યોગીન છનિયારા.

ચાર્ટર્ડ પ્લેનમાં બાબા વડોદરામાં આવશે
સુરત અને રાજકોટમાં કાર્યક્રમ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરામાં દિવ્ય દરબાર કરશે. નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ તરફથી આગામી ત્રણ જૂનના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રસી ગ્રાઉન્ડમાંથી દિવ્ય દરબારના સ્થળની પસંદગી કરવામાં આવશે તેમ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું

ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેનમાં વડોદરા આવશે
નવશક્તિ ગરબા મહોત્સવના આયોજક કમલેશભાઈ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ જૂનના રોજ સવારે 9 વાગે ગુરુજી રાજકોટથી ચાર્ટર્ડ પ્લેન મારફત વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી કાર મારફત કાર્યક્રમ સ્થળે પહોંચશે. ત્રણ જૂને સવારે દસ વાગ્યાથી વિવિધ સમાજ અને સંગઠનોના મહાનુભાવોને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી મળશે અને સાંજે 5થી રાત્રે 9 વાગ્યા દરમિયાન લોકો માટે દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

નવશક્તિ ગરબા મહોત્સવના આયોજક કમલેશભાઈ પરમાર.

નવશક્તિ ગરબા મહોત્સવના આયોજક કમલેશભાઈ પરમાર.

દિવ્ય દરબારમાં એકથી દોઢ લાખ લોકો આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના આદિ દરબારમાં વડોદરા શહેર અને આસપાસના એકથી દોઢ લાખ લોકો આવશે. હાલ સ્થળની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રિસી ગ્રાઉન્ડમાંથી કોઈપણ એક સ્થળને દિવ્ય દરબાર માટે પસંદ કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવશે. સુરતમાં આયોજિત દિવ્ય દરબારના કાર્યક્રમ વખતે બાગેશ્વર ધામથી એક વ્યક્તિ વડોદરા આવશે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટેની વ્યવસ્થા અંગે ચર્ચા કરીને તેમના રોકાણ વ્યવસ્થા કરીશું.

Previous Post Next Post