Monday, May 22, 2023

ટ્રાવેલ્સનો ધંધો કરતા 2 યુવાનોએ સામસામે મારામારી કરી મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી | 2 youths in the business of travels fought face to face and filed a complaint in Makarpura police station. | Times Of Ahmedabad

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરામાં ટ્રાવેલ્સનો ધંધો કરતા 2 યુવનોએ સામસામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે અમનબાબા શેખે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, કિંજલ શાહ મારી પાસે ખોટી રીતે વિઝા બનાવડાવવા માંગતો હતો. આ બબાતે ના પાડતા માર માર્યો હતો. તો બીજી તરફ કિંજલે ફરિયાદ નોંધાવી છે કે, જૂના ઝઘડાની અદાવત રાખીને યુવકે અને તેના મિત્રોએ તેને મારી નાખવાનું કાવતરુ રચ્યું હતું અને તેને માર માર્યો હતો. આ બાબતે બંને યુવાનોની ફરિયાદ લઈને મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમને ખોટી રીતે વિઝા બનાવવાનું કહ્યું હતું
મચ્છીપીઠ ખાતે રહેતા અમનબાબા શેખ ટ્રાવેલર્સનો ધંધો કરે છે. નવાપુરા ખાતે રહેતો કિંજલ શાહ પણ ટ્રાવેલર્સનો ધંધો કરતો હોવાને કારણે બંને એકબીજાને ઓળખતા હતા. ગત સોમવારે તેઓ ધંધાના કામે બંને જણા મુંબઈ ગયા હતા. આ દરમિયાન તેઓ અંધેરી ખાતે હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન કિંજલે અમને ખોટી રીતે વિઝા બનાવવાનું કહ્યું હતું. આ બાબતે અમને ના પાડતા તે વચ્ચે ઝઘડો થયો હતો.

કિંજલે તેના ભાઈને બોલાવીને અમને માર માર્યો

બે દિવસ બાદ ગુરુવારે તેઓ વડોદરા આવી ગયા હતા અને દંતેશ્વર ખાતે આવેલી હોટલમાં રોકાયા હતા. શુક્રવારે બંને નડિયાદ કિંજલની ગર્લફેન્ડને મળવા ગયા હતા અને શનિવારે તેઓ પાછા હોટલમાં આવ્યા હતા. આ દરમિયાન તે બંને કેફી પદાર્થ પીધેલા હોય અને કિંજલે તેના ભાઈને બોલાવીને અમને માર માર્યો હતો. જેના કારણે અમને ઈજા પહોંચી હતી. અમને આ બબાતે કિંજલ શાહ અને હિરેન શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તેઓ સાથે મુંબઈ ધંધાના કામે ગયા હતા
​​​​​​​
તો બીજી તરફ કિંજલ શાહે અમન સહિત અન્ય 9 લોકો સામે ફરિયાદ નોંધવાતા જણાવ્યું હતું કે, તેમની ઓફિસમાં અમન નોકરી કરતો હતો. જોકે તેઓને જાણ થઈ હતી કે અમનના ધંધા સારા નથી જેથી તેઓએ તેની સાથે મિત્રતા તોડી નાખી હતી. તેમ છતા ગત સોમવારે તેઓ સાથે મુંબઈ ધંધાના કામે ગયા હતા. કામ પતાવીને કિંજલ અમને લઈને તેના મિત્રને લઈને મળવા ગયો હતો. આ દરમિયાન તેઓને ઝધડો થતા કિંજલ અમને લઈને વડોદરા આવી ગયો હતો. અમને ઘરે જવું ન હોવાને કારણે તેઓ દંતેશ્વર ખાતે એક હોટલમાં રોકાયા હતા.

અદાજીંત 9 લોકો ​​​​એ મારામારી કરી
આ દરમિયાન રવિવારે રાત્રીના સમયે અમને ઓરડામાં હતો નહીં જેથી તેને શોધવા જતા તે બહાર ઉભો હતો અને વાત કરતો હતો કે, આ કિંજલે મુંબઈમાં મારી સાથે મારામારી કરી હતી અને ઉધાર લીધેલા રૂપિયા માંગે છે આજે તેનો ખેલ ખતમ કરી દેવાનો છે.​​​​​​​ અમને, તેના પિતા અને તેનો ભાઈ અને અદાજીંત 9 લોકો રૂમમાં આવી ગયો હતો અને તમામે કિંજલને ઢોર માર માર્યો હતો. મારામારી થતા હોટલાના કર્મચારી આવી ગયા હતા અને ઝઘડો શાંત પાડ્યો હતો. તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Related Posts: