33 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વડોદરાથી મધ્ય ગુજરાતના 82 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યાં હતા.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે
આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 22 જેટલી આપણી ઓનવ્હીલ લેબોરેટરીઓ ફરિયાદ આવે તો પહોંચી જતી હોય છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં 360 ડિગ્રીએ ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. આવનારા સમયમાં પણ ખાદ્ય પ્રદાર્થોમાં ફરિયાદો અને નમૂનાઓને વેરિફાઇ કરીને તુરંત જ યોગ્ય છે કે નહીં તે ખબર પડી જશે.
82 કરોડના કામોના લોકાર્પણ-ઇ-ખાતમુહૂર્ત કર્યાં
રાજ્યના આરોગ્ય મંત્રીએ વડોદરાના સયાજીપથ પાસે રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ કર્યું હતું અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્યકેન્દ્રનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 100 બેડ ફિલ્ડ હોસ્પિટલ, 42 બેડ પિડીયાટ્રીક, 20 બેડ આઇ.સી.યુ. અને 50 બેડ ક્રિટીકલ કેર બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આરોગ્યમંત્રીના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ અને ખેડા જિલ્લાના કપડવંજ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણકાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.