પોપટપરામાં 8 માસના બાળકને રમતો મૂકી માતાએ ગળેફાંસો ખાધો, માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકે આયખું ટૂંકાવ્યું | In Popatpara, the mother strangled the 8-month-old child by playing with it, the young man died by jumping under the train near the goods gate. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Popatpara, The Mother Strangled The 8 month old Child By Playing With It, The Young Man Died By Jumping Under The Train Near The Goods Gate.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
મૃતક આરતીબેન ઝરવરિયા - ફાઈલ તસવીર - Divya Bhaskar

મૃતક આરતીબેન ઝરવરિયા – ફાઈલ તસવીર

રાજકોટ શહેરના પોપટપરામાં રહેતાં આરતીબેન વિશાલભાઈ ઝરવરિયા (ઉ.વ.25) ગઈકાલે સાંજે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતાં સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે, તેમના લગ્ન આરતીબેન સાથે પાંચ વર્ષ પહેલાં થયેલ હતાં. લગ્નજીવન દરમિયાન તેમણે સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને આઠ માસનો પુત્ર છે. તેમની પત્ની લાંબા સમયથી આંચકીની બીમારીથી પીડિત હતાં. ગઈકાલે તેની માતા સાથે તેની પુત્રી સબંધીને ત્યાં ગયા બાદ તેઓ પણ મજૂરીકામ માટે ઘરેથી નીકળી ગયા હતાં. તેઓ પાંચ વાગ્યે ઘરે આવી રૂમનો દરવાજો ખોલતાં પત્ની લટકેલી હાલતમાં જોવા મળી અને આઠ માસનો પુત્ર બાજુમાં રમતો જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. આરતીબેને આંચકીની બીમારીથી પગલું ભર્યાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પુત્રી લટકેલી હાલતમાં જોવા મળી
રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે દરગાહ નજીક આવેલ 25 વારીયામાં રહેતી મમતાબેન સુભાષભાઈ ભટી (ઉ.વ.18) ગઈ રાત્રે પોતાના ઘરે બાથરૂમમાં જઈ હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારજનો ઉઠતાં પુત્રી લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. પરિવારજનોએ 108 ને જાણ કરતાં 108 ના સ્ટાફે યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્રી-એક પુત્ર છે. સૌથી નાની મમતા ગઈકાલે સાંજે અમે સાથે જમ્યા ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી તેને ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે તેઓ પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ઈશ્વરભાઈ શંકરલાલ દબોડ

ઈશ્વરભાઈ શંકરલાલ દબોડ

માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકે આયખું ટૂંકાવ્યું
રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ સરસ્વતી નગર-10માં રહેતો ઈશ્વરભાઈ શંકરલાલ દબોડ (ઉ.વ.34) વહેલી સવારે ઘરેથી નિકળી ગયા બાદ માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી પરીવારને જાણ કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો. મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે ઈશ્વર તેમના ઘરે મજુરીકામ અર્થે વતન માંથી ચાર દિવસ પહેલા જ આવ્યો હતો અને વ્હેલી સવારે ઘરેથી નિકળી ગયા બાદ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે તેઓ પણ અજાણ હોવાનું કહ્યું હતું. બનાવ અંગે મધ્યપ્રદેશ રહેતાં મૃતકના પરીવારને જાણ કરી પોલીસ તપાસ યથાવત રાખી હતી.

أحدث أقدم