સુરત6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રાજીનામું મંજૂર થાય તો પ્રતિક્ષાયાદીના ઉમેદવારને તક મળશે
- મેં પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું: શાસનાધિકારી
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપશાસનાધિકારીએ માત્ર 9 મહિનામાં જ રાજીનામું આપી દેતા વિવાદ વકર્યો છે. આમ પણ ઉપશાસનાધિકારીની જગ્યા છેલ્લા 4 વર્ષથી ખાલી પડી હતી.
ઘણા લાંબા સમય બાદ આ જગ્યા ભરવામાં આવી હતી.પાંડેસરાની શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા મહેશ પાટીલની 9 મહિના પહેલા શિક્ષણ સમિતિના વહીવટમાં ચાવીરૂપ ગણાતી ઉપશાસનાધિકારી પદે માટે નિમણૂંક કરવામાં આવી હતી. જો કે, માત્ર અને માત્ર 9 મહિનાના ટૂંકા સમયગાળામાં જ મહેશ પાટીલ દ્વારા રાજીનામું આપી દેવાયુંં છે.
હાલમાં તેઓ પ્રોબેશન પીરિયડમાં ફરજ બજાવી રહ્યા હતા. અઠવાડિયા અગાઉ રાજીનામું આપવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેમનું આ રાજીનામું મંજૂર કરાયું નથી. આ અંગે શાસનાધિકારી વિમલ દેસાઇએ જણાવ્યું કે, પારિવારિક કારણોસર ઉપશાસનાધિકારીએ રાજીનામું આપ્યું છે. તેઓ મૂળ શાળામાં પરત જવા માંગે છે.
ઉપશાસનાધિકારી મહેશ પાટીલ દ્વારા માત્ર 9 મહિનાના ત્રીજીવાર રાજીનામું આપ્યું છે. જો કે મંજૂર કરાયું નથી. હવે મંજૂર કરાય છે કે કેમ? તેને લઇ ચર્ચા ચાલી રહી છે. રાજીનામું મંજૂર કરાય તો ઉપશાસનાધિકારીમાં વેઇટીંગ લિસ્ટમાં મુકાયેલા સૌરાષ્ટ્રવાસી ઉમેદવારને તક મળી શકે છે.